મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ૨૧ માર્ચે યોજાશે 'પારિતોષિક અર્પણ સમારંભ'
મહારાષ્ટ્ર શાસનના સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વાર્ષિક પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભ તા. ૨૧ માર્ચે, સાંજે ૭.૦૦ વાગ્યે પી.ડી. બૅન્કવેટ્સ હૉલ, પાંચમે માળે, પી. એલ. દેશપાંડે મહારાષ્ટ્ર કલા અકાદમી, રવીન્દ્ર નાટ્યમંદિર પરિસર, પ્રભાદેવી-દાદર ખાતે યોજાશે. અકાદમી દ્વારા વિવિધ પારિતોષિકો જાહેર કરવામાં આવે છે. ગુજરાતી અને મરાઠી સાહિત્યકારોને અપાતું કવિ નર્મદ પારિતોષિક અનુક્રમે ભાગ્યેશ જહા તથા લક્ષ્મીકાંત તાંબોળીને એનાયત કરવામાં આવશે. લક્ષ્મીકાંત તાંબોળી ભાગ્યેશ જહા મહારાષ્ટ્રસ્થિત પ્રતિભાને વિવિધ શ્રેણીમાં અપાતા જીવનગૌરવ પારિતોષિક અંતર્ગત સાહિત્ય ક્ષેત્રે પ્રફુલ્લ પંડ્યા; કલા ક્ષેત્રે નિરંજન મહેતા; પત્રકારત્વ ક્ષેત્રે રમેશ દવે તથા સંસ્થાઓમાં ગુજરાતી વિભાગ- એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠની પસંદગી કરવામાં આવી છે. સર્વોત્તમ પુસ્તકોને પુરસ્કાર પ્રદાન કરવાની અકાદમીની યોજના અન્વયે કવિતા, નવલકથા, નિબંધ અને વાર્તા વિભાગમાં વાઙમય પારિતોષિક એનાયત કરવામાં આવશે. પ્રફુલ્લ પંડ્યા નિરંજન મહેતા રમેશ દવે એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ કવિતા વિભાગમાં રાજેશ રાજગોરના `શ્રીકૃષ્ણ ચરિતમ્ (ગઝલ સ્વરૂપે)' કાવ્યસંગ્રહને દ્વિતીય ઈનામ મળે છે. નવલકથા વિભાગમાં પ્રથમ ઈનામ દેવયાની દવેની `આવકાર' તથા દ્વિતીય ઈનામ ઊર્મિલા પાલેજાની `ત્રીજો ભવ' નવલકથાને અપાશે. લલિત નિબંધમાં ડૉ. સરોજિની જિતેન્દ્રના `જાત સાથે વાત' પુસ્તકને પ્રથમ તથા નિરંજના જોશીના `છીપ મોતી શંખ' પુસ્તકને દ્વિતીય ઈનામ મળશે. વાર્તા વિભાગમાં કામિની મહેતાના `ઉડાન' તથા નીલા સંઘવીના `નીલા સંઘવીની નવી વાર્તાઓ' વાર્તાસંગ્રહને દ્વિતીય ઈનામ સંયુક્તપણે જાહેર કરવામાં આવે છે. પ્રકીર્ણ વિભાગમાં પ્રથમ ઈનામ મેધા ગોપાલભાઈ ત્રિવેદીના `મણિબહેન વલ્લભભાઈ પટેલ એક સમર્પિત જીવન' પુસ્તકને અપાશે. સાંસ્કૃતિક બાબતો વિભાગના મંત્રી તથા અકાદમીના અધ્યક્ષ માન. ઍડ. શ્રી આશિષ શેલાર તથા અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર દ્વારા પારિતોષિકો એનાયત કરવામાં આવશે. જીવનગૌરવ તથા નર્મદ પારિતોષિકમાં રૂ. ૧.૦૦.૦૦૦/-ની રાશિ જ્યારે વાઙમય પારિતોષિક અંતર્ગત પ્રથમ ઈનામમાં રૂ. 30,000/- અને દ્વિતીય ઈનામમાં રૂ. ૨૦.૦૦૦/-ની રાશિ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્નનો સમાવેશ થાય છે. પારિતોષિકની પસંદગીમાં અકાદમીના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શનમાં નિર્ણાયક સમિતિએ સેવા આપી હતી.
read more
મોડાસા એકડા દશા ખડાયતા સમાજ, મુંબઈ દ્વારા 'નારી જાગૃતિ પ્રોગ્રામ'નું આયોજન
મોડાસા એકડા દશા ખડાયતા સમાજ મુંબઈ દ્વારા સંચાલિત શ્રી સોમાલાલ પી શાહ નારી જાગૃતિ ફંડ અને પ્રમુખશ્રી તુષારભાઈ રમણલાલ કોઠારીના નેજા હેઠળ નારી જાગૃતિ પ્રોગ્રામનું આયોજન તારીખ ૨૩ માર્ચ ૨૦૨૫ ને રવિવારના રોજ સાંજે ૪.૩૦ કલાકે ખડાયતા ભુવન, હનુમાન મંદિર રોડ, પાર્લા, મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું છે. પહેલા ભાગમાં દરેકના વ્યવસાયની જાણકારી સાથે તેમનો પરિચય અને હાજર રહેલ સ્પીકર પાસેથી તેમની પોતાની અત્યાર સુધીની સફળતાની યાત્રા અને અનુભવ વિષે જાણકારી મેળવી હતી. આ નારી બિઝનેસને સફળતા અપાવવા માટે જ શાર્ક થીંક-પાર્ટ રનું આયોજન કરવામા આવેલ છે. આ બીજા પાર્ટમાં એક પગથિયું આગળ વધતાં વ્યવસાયમાં સફળતા તરફ પ્રયાણ કરવા માટે કઈ રીતે પ્રેક્ટિકલ વેમાં અનુકરણ કરી ફાઇનાન્સ, માર્ગદર્શન સાથે એક સફળ એન્ટરપ્રેન્યોર તરફની જર્નીની શરૂઆત કરવાની દિશામાં આગળ વધવાના નિશ્યય સાથે પ્રોગ્રામ કરાશે. શાર્ક થિંક પાર્ટ - ૨ નારી શક્તિને વ્યવસાયમાં આગળ વધવા માટે જરૂરિયાત મુજબ પ્રોફેશનલના માર્ગદર્શન સાથે પ્રગતિના પંથ પર આગળ વધવા માટે શાર્ક ટેન્ક તેમને સપોર્ટ કરશે. જેમ કે કોઈને ફંડ, એક્સપર્ટની સલાહ, માર્ગદર્શન રૂપે પ્રોત્સાહન પૂરું પાડવા સાથે તેમની સાથે પાર્ટનરશીપ શક્યતા થઈ શકે એ માટેનું ઉત્તમ પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છે. જેથી દરેક ઈચ્છુક મેમ્બર પોતાના વ્યવસાયને કોર્પોરેટ લેવલ પર વધારવા આગળ આવી પહેલ કરે એવા આશયથી સૌને આમંત્રણ છે. પ્રથમ વખત આપણે આ પ્રોગ્રામ youtube પર લાઈવ બતાવવાનું છે. જેનો હેતુ એ જ છે કે સમાજની બહેનો જે પણ પ્રેઝન્ટેશન આપે, તે ઘરે બેસીને જોઈ શકે તેમજ એમની એક્ટિવિટી બાબતે દરેક સમાજના જ્ઞાતિબંધોને જાણ થાય અથવા માર્કેટિંગ થઈ શકે. અને પોતાનો અનુભવ તેમજ પોતાના બિઝનેસને પ્રમોશન આપવા માટેની રજૂઆત કરી શકે અને આ ટ્રસ્ટનું પ્લેટફોર્મ એમને ઉપયોગી થાય.
read more
એસ. એન. ડી. ટી. મહિલા કોલેજમાં 'સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ'ની સન્માનનીય ઉજવણી
એસ. એન. ડી. ટી. મહિલા કોલેજની અનુસ્નાતક વિભાગની વિદ્યાર્થિની બહેનોએ 'વિશ્વ મહિલા દિવસ'ની વિશેષ ઉજવણી કરી હતી. આ ઉજવણી કોલેજમાં જ ૭મી માર્ચે બપોરે ૧૨.૦૦ કલાકે કરાઇ. 'સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ' કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે હિન્દી સાહિત્યનાં પ્રસિદ્ધ સર્જક, વિવેચક અને અનુવાદક તેમજ મહિલા ઉત્કર્ષ માટે સતત સક્રિય ડૉ. કુસુમ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે મુંબઈની સાહિત્ય અને કલા પ્રવૃત્તિમાં સતત સક્રિય એવી 'લેખિની' સંસ્થાની વરિષ્ઠ બહેનોનું 'નારી ગૌરવ પુરસ્કાર'થી સન્માન કરવામાં આવ્યું. જેમાં મીનાક્ષી વખારિયા, ગીતા ત્રિવેદી, વર્ષા તન્ના, પ્રીતિ જરીવાલા, કામિની મહેતા, ઊર્મિલા પાલેજા, દેવયાની દવેનો સમાવેશ થાય છે. આ વર્ષે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થિની બહેનોને પદવી પ્રમાણપત્ર પણ અર્પણ કરવામાં આવ્યાં. વિભાગની વર્તમાન વિદ્યાર્થિની હેતલ ગાલા, બીના જોગી, સોનાલી શાહ, સેજલ ભટ્ટ, રેણુકા નાંદોલા, પન્ના પારેખ, રાખી શાહે મુંબઈની પ્રસિદ્ધ કવયિત્રીઓની ઉત્તમ કવિતાઓનું ચયન કરીને ભાવવાહી પ્રસ્તુતિ કરી. સમગ્ર કાર્યક્રમ માટે પ્રૉ. દર્શના ઓઝા અને કવિત પંડ્યાએ જહેમત ઉઠાવી હતી તેમ જ માર્ગદર્શન આપ્યું હતું.
read more
દહીસરની પૂર્ણ પ્રજ્ઞા હાઇસ્કુલના એસએસસી 2002ના વિદ્યાર્થીઓએ એક્સિલરેટ વિમેન થીમ પર સાથે મળીને ઉજવણી કરી
આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો, એ નિમિત્તે પૂર્ણ પ્રજ્ઞા હાઇસ્કુલ, દહીસર ઇસ્ટના ગુજરાતી માધ્યમ બેચ એસએસસી 2002ના વિદ્યાર્થીઓ અને એમના પરિવારનું નાનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ મેળાવડામાં લગભગ 15 જેટલા વિદ્યાર્થીઓ, 10 મહિલાઓ અને 11 બાળકોએ ઉજવણી કરી હતી. ગ્રુપના પરફેક્ટ પ્લાનર મેમ્બર્સ અવારનવાર આવા નાના-મોટા આયોજનો કરતા રહે છે. આનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે દરેક વિદ્યાર્થીઓને તથા તેમના પરિવારોને એકબીજાથી જોડાયેલા રહે. સુખ-દુઃખમાં સાથ આપે અને બીજાઓને પણ પ્રેરણા આપે. સંમેલનમાં દરેક જણે ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો, ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં પણ તેમની પત્નીઓ તથા બાળકોએ પણ આ પ્રસંગને ઉમંગ અને દોસ્તીથી માણ્યો હતો. મહિલાઓને ખાસ ભેટ આપવામાં આવી હતી. લગભગ ત્રણ ચાર કલાકના કાર્યક્રમ પછી સૌ મીઠી યાદો સાથે છૂટા પડ્યા હતા. વિશાલ ગજ્જર જણાવે છે કે, '2002માં શાળા પૂર્ણ કર્યા પછી અમારું ગ્રુપ અવારનવાર નાના મોટા આયોજનો કરે છે, અને ભવિષ્યમાં પણ લોકોના સાથ-સહકારથી આવા રિયુનિયન, પર્યટન-પ્રવાસ ઈત્યાદી કરતા રહીશું.
read more
Holi Splash: મુંબઈનો સૌથી મોટો હોળી ઉત્સવ
મુંબઈમાં હોળી સ્પ્લેશ - સીઝન 6 ના ભવ્ય ઉજવણીનું સાક્ષી બનવા માટે તૈયાર છે. આ તહેવાર ટોચના ડીજે, લાઇવ પર્ફોર્મન્સ અને વાઇબ્રન્ટ ઉત્સવો સાથે એક અવિસ્મરણીય અનુભવનું વચન આપે છે. ઇવેન્ટ વિગતો: • તારીખ: 14 માર્ચ, 2025 • સ્થળ: ઇનઓર્બિટ મોલ (ઓપન પાર્કિંગ એરિયા), ન્યૂ લિંક રોડ, મલાડ વેસ્ટ, મુંબઈ 400064 • સમય: [સવારે 10 વાગ્યાથી] ઇવેન્ટની હાઇલાઇટ્સ: • ડીજે મેક, ડીજે સીએએસ, ડીજે ભાવિન, ધ ટ્રાંક્વિલ, આર્યન, તુષાર ટી અને કુશે સહિત પ્રખ્યાત ડીજે દ્વારા વિદ્યુત પ્રદર્શન • ઓર્ગેનિક રંગો અને સલામત હોળીનો અનુભવ • વરસાદી નૃત્ય અને પાણીની પ્રવૃત્તિઓ • લાઇવ ઢોલ પર્ફોર્મન્સ અને ઉર્જાવાન બોલીવુડ સંગીત • ઉત્સવની સ્વાદિષ્ટ વાનગીઓ અને પીણાં ઓફર કરતા ફૂડ સ્ટોલ ટિકિટ માહિતી: ટિકિટ બુકમાયશો, ડિસ્ટ્રિક્ટ બાય ઇવેન્ટન્ટ અને ઇવેન્ટિંગ ક્લબ પર ઉપલબ્ધ છે. પૂછપરછ અને બુકિંગ માટે સંપર્ક કરો: 7700043367 / 7700904855 હોળી સ્પ્લેશ - સીઝન 6 માં સંગીત, રંગો અને ઉત્સવના આનંદ સાથે ભવ્ય શૈલીમાં હોળીની ઉજવણી કરો.
read more
ડૉ. જવાહર બક્ષીના પુસ્તક 'નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા'ની ત્રીજી આવૃત્તિનું લોકાર્પણ
ચર્ચગેટ ખાતે યોજાયેલા એક સમારંભમાં જાણીતા ગઝલકાર અને આધ્યાત્મિક સંશોધક ડૉ. જવાહર બક્ષીના 'નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા' આ પુસ્તકનું લોકાર્પણ લોકલાગણીને માન આપીને (ત્રીજી આવૃત્તિ) શ્રીમતી દક્ષા બક્ષી, દીના મહેતા અને આસિત મહેતાને હસ્તે થયું હતું. કોઈ પીએચડીના સંશોધનાત્મક પુસ્તકની ત્રીજી આવૃત્તિ થવી એ વિરલ અને ગુજરાતી ભાષા માટે ગૌરવ ઘટના છે. જવાહર બક્ષી એ જણાવ્યું હતું કે વૈદિક ઋષિઓની વાણી ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતામાં સર્વપ્રથમ ઊતરી હતી. આજે ૬૦૦ વર્ષ પછી પણ તે તાજી અને સનાતન લાગે છે. ડૉ. જવાહર બક્ષીએ પચ્ચીસ વર્ષના સંશોધન તથા તેમની દાયકાઓની આધ્યાત્મિક સાધનાના પ્રકાશમાં ૬૦૦ વર્ષમાં ન ઉપલાયેલા ગૂઢ રહસ્યોને ઉજાગર કર્યા છે. જેમકે- 'જળ કમળ છાંડી જાને બાળા' એ કુંડલીની યોગનું કાવ્ય છે અને 'સહસ્ત્ર ફેણા ફૂંફવે' સુધીના સહસ્ત્રદલ કમળ તથા તે પછીની યાત્રાના અને તેમાં આવતા વિઘ્નોનો ઘટસફોટ કર્યો છે. 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી' એ સલ્વમ ખલી ખ લ્વિદમ બ્રહ્મ તેમજ ઈશાવાસ્ય ઉપનિષદના સ્પંદનો છે. વિશેષ રૂપે જેને કારણે નરસિંહ મહેતાને કારાવાસ મળ્યો હતો તે શૃંગાર કાવ્યોને રાધાકૃષ્ણનો આત્મા પરમાત્માના સંદર્ભમાં સમજાવ્યા છે. રૂપાયતન ટ્રસ્ટ, જુનાગઢ દ્વારા પ્રકાશિત આ પુસ્તક હવે તેના મુખ્ય વિક્રેતા એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ ખાતે ઉપલબ્ધ છે.
read more
વિલેપાર્લેની કલાગુર્જરી સંસ્થા દ્વારા બાળકો માટેની ચિત્ર સ્પર્ધા સફળ રહી- મિતુલ પ્રદીપ રહ્યાં હાજર
કલાગુર્જરી, વિલેપાર્લે સંસ્થા દ્વારા તાજેતરમાં જ બાળકો માટેની ચિત્ર સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અનેક શાળાઓમાંથી બાળકોએ ભાગ લીધો હતો. બાળકો સાથે તેમનાં માતા-પિતાની પણ હાજરી રહી. સ્પર્ધક બાળકોએ તેમની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને કાગળ અને પીંછી વડે અદ્ભુત કલા રજૂ કરી. આ સમગ્ર આયોજન સંસ્થાનાની 'બાલ વિભાગ'ની સમિતિને જહેમત ઉઠાવી હતી. સ્પર્ધામાં દિવ્યાંગ બાળકો સહિત કુલ ૧૦૫ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં કુલ બાર ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત ચિત્ર સાત વર્ષની ધિયાના દોશીનું છે. જેણે 'મારો પરિવાર' આ વિષય પર સુંદર ચિત્ર રજૂ કરી બેસ્ટ ઈનામ મેળવ્યું હતું. સ્પર્ધા દરમિયાન સમિતિ પ્રમુખ નિરંજનાબહેન, સંસ્થા પ્રમુખ હેમાંગ જાંગલા, તેમ જ અન્ય સભ્ય ગોપાલભાઈ, મેધાબહેન, રૂપલબહેન અને સર્વ સમિતિ ધ્યક્ષ અમૃત માલદે, ફાલ્ગુનીબહેન, પ્રણવભાઈ સર્વેએ મહેનત કરી. આ સ્પર્ધામાં કવિ પ્રદીપજીનાં દીકરી મિતુલ પ્રદીપ નિર્ણાયક તરીકે હાજર રહ્યાં હતાં. બાળકોને નાસ્તો તેમજ બિસ્કીટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું. લીનાબહેન, સાઈનાથ અને સંતોષ તેમ જ ચંદા, સંધ્યાબહેન અને હંસાબહેન દ્વારા પણ મદદ કરાઇ હતી.
read more
'ઝરૂખો'માં 'મસ્તીની પાઠશાળા'ની બીજી આવૃત્તિ નિમિત્તે 'બાળકોનો કાવ્યપાઠ અને ઢેનટેડેન'
બોરીવલીના ઝરૂખોની સાહિત્યિક સાંજમાં આ વખતે ઓગણત્રીસ જેટલાં ટાબરિયાં અને કિશોર વિદ્યાર્થીઓ કાંતિ કડિયા, રમેશ પારેખ, સુરેશ દલાલ, રમણ સોની,ઉદયન ઠક્કરથી માંડીને આજના નવાં બાળકાવ્ય સર્જકોની કાવ્યરચનાઓ રજૂ કરશે. રવિવાર ૨ માર્ચે સાંજે ૫.૩૦ વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં યુવાન કવિ ધાર્મિક પરમાર પણ પોતાનાં મસ્ત મસ્ત કાવ્યો બાળકોને તથા શ્રોતાઓને સંભળાવશે. પૂર્ણાબહેન મોદી, પપેટની સંગત લઈને બાળકોને રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યા કરશે. ' મસ્તીની પાઠશાળા ' ( સંપાદન: સંજય પંડ્યા -પ્રતિમા પંડ્યા) બાળકાવ્યોનું એક અફલાતૂન સંપાદન છે જેમાં દલપતરામથી માંડીને આજનાં કવિઓનાં દોઢસો ઉપરાંત બાળકાવ્યોનો સમાવેશ થયો છે. કુલ કવિઓની સંખ્યા પણ સો જેટલી છે. સ્ત્રી મંડળ, સિક્કા નગર, મુંબઈ તથા પ્રકાશક એન.એમ.ઠક્કરના સહયોગથી આ પુસ્તકની દ્વિતીય આવૃત્તિ ગયા મહિને પ્રકાશિત થઈ છે. આ પુસ્તકની ૨૫૦ જેટલી પ્રત મહારાષ્ટ્ર અને ગુજરાતની વિવિધ શાળામાં ભેટ તરીકે મોકલવામાં આવી રહી છે. જે ગુજરાતી શાળાને ' મસ્તીની પાઠશાળા 'ની પ્રત મેળવવી હોય તેઓ ' ઝરૂખો ' ના સક્રિય સભ્ય દેવાંગ શાહને 93222 87485 પર શાળાના નામ તથા એડ્રેસ સાથે મેસેજ મોકલી શકે છે. 'ઝરૂખો 'નો આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. તમારાં સંતાનને ગુજરાતી ભાષાની ઉર્જા તથા બાળકાવ્યોની મસ્તીથી પરિચિત કરાવવાં હોય તો રવિવારે સાંજે ' ઝરૂખો' માં પહોંચી જશો! હંમેશ મુજબ આ જાહેર કાર્યક્રમ છે.
read more
ઈન્વેસ્ટર્સ માટે ભાનુશાલી ચેમ્બર ઑફ કૉમર્સ (BCOC) દ્વારા 'વેલ્થક્રાફ્ટ 2025'નું આયોજન
નાણામંત્રી નિર્મલા સિતારમણે તાજેતરમાં બજેટની જાહેરાત કરી ત્યારે કોણે ક્યાં અને કેવી રીતે ઈન્વેસ્ટ કરવું તેનું પ્લાનિંગ લોકોએ આગામી નાણાંકીય વર્ષ માટે કરવાનું શરૂ કરી દીધું હશે. અનેક લોકોના મનમાં અનેક પ્રશ્નો પણ ઊભા થયા હશે. ભાનુશાલી સમાજ માટે સતત કાર્યરત એવા શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના નેજાહેઠળ કાર્યરત ભાનુશાલી ચેમ્બર ઑફ કૉમર્સે વેલ્થક્રાફ્ટ 2025નું આયોજન કર્યું છે. આ વેલ્થક્રાફ્ટ 2025 એક એવું સેમિનાર છે જે ભાનુશાલીઓને કેપિટલ બજારમાં કેવા પ્રકારનું અને કેટલું તેમજ ક્યાં રોકાણ કરવું અથવા ખરીદ કરવી તે વિશેની સમજ મળે તે માટે ખાસ કરવામાં આવ્યું છે. ભાનુશાલી ચેમ્બર ઑફ કૉમર્સ (BCOC) દ્વારા 'વેલ્થક્રાફ્ટ 2025'માં પ્રખ્યાત ઉદ્યોગ નિષ્ણાતો અને પોર્ટફોલિયો મેનેજરો પાસેથી CY2025 માટે માર્કેટના ઉભરતા ટ્રેન્ડ્સ , મુખ્ય રોકાણ સ્ટ્રેટેજિસ અને અસ્થિર બજારોમાં પોર્ટફોલિયો વળતરને મહત્તમ બનાવવા વિશે માહિતી આપવામાં આવશે. આ સિવાય જેમને પણ પોતાના વિષય સંબંધિત પ્રશ્નો હોય તેઓ નિષ્ણાતો સાથે સંપર્ક સાધીને પોતાના પ્રશ્નોનો ઉકેલ પણ મેળવી શકે છે. જો તમે તમારા પોર્ટફોલિયોને ઑપ્ટિમાઇઝ કરવાનું લક્ષ્ય રાખતા હો, સ્ટ્રેટેજિક સ્ટૉક અને બજારની તકો શોધી રહ્યા છો અને બદલાતા બજારના વલણો વિશે અપડેટેડ રહેવા માગો છો, તો આ ઈવેન્ટ તમારા માટે લાભદાયી રહેશે. ક્યાં કરવામાં આવ્યું છે વેલ્થક્રાફ્ટ 2025નું આયોજન?ભાનુશાલી બેન્ક્વેટ હૉલ, ત્રીજે માળે, ભાનુશાલી નગર, ઘાટકોપર ઈસ્ટમાં 8 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આ સેમિનાર ચાલશે. આ સેમિનારમાં જોડાવા માટે દરેકને છૂટ છે. આ સેમિનારમાં જોડાનાર સભ્યએ 600 ફી તરીકે આપવાના રહેશે જેમાં તમારું બપોરનું ભોજન પણ સામેલ કરવામાં આવે છે. સેમિનારની શરૂઆત પહેલા રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
read more
મુંબઈના વાર્તાસર્જકો માટે 'ઝરૂખો'માં અનેરો અવસર! સર્જક મધુ રાય સંગ કરો ગોઠડી
મુંબઈના વાર્તાકારો કેટલીક નવી વાર્તાઓ રજૂ કરશે મુંબઈની સાહિત્યિક સાંજ ' ઝરૂખો 'માં અવનવા પ્રયોગો થતા રહે છે. ૧ ફેબ્રુઆરી શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા નાટ્યલેખક, વાર્તાકાર તથા નવલકથાકાર મધુ રાયની સંગત હશે. ' એક વાર નાટકમાં, આઈ ટેલ યુ ' તથા ' મેં કોઈને કીધું નથી, ડીયર ' એમ બે વાક્યો સર્જક મધુ રાયે આપ્યાં છે જેને સાંકળીને વાર્તાકારો પોતાની ટૂંકી વાર્તાનું સર્જન કરી કાર્યક્રમમાં પઠન કરશે. શ્રોતાઓ પણ સર્જક સાથે સંવાદ કરી શકશે. મધુ રાય આપણી ભાષાનાં ટોચના સર્જક છે.એમનો પ્રથમ વાર્તાસંગ્રહ હતો ' બાંશી નામે છોકરી ' અને ત્યારબાદ ' રૂપકથા ' ,'કાલસર્પ ' જેવા પ્રયોગશીલ વાર્તાસંગ્રહ એમણે આપ્યા. ' કોઈ પણ એક ફૂલનું નામ બોલો ' તથા ' કુમારની અગાશી ' એમનાં ખૂબ જાણીતાં નાટકો. એમની ' કિમ્બલ રેવન્સવુડ ' નવલકથા પરથી' મિ.યોગી' ટેલિસિરિયલ બની અને પછીથી 'વૉટ્સ યોર રાશિ!' એ નામે હિન્દી ફિલ્મ પણ બની હતી. વાર્તાકાર સંદીપ ભાટિયા, સમીરા પત્રાવાલા , રાજુલ ભાનુશાલી તથા અન્ય એક કે બે વાર્તાકારો પોતાની વાર્તા રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે. આ કાર્યક્રમમાં સર્વ કોઈ હાજરી આપી શકે છે. સાઈબાબા મંદિર, બીજે માળે, સાઈબાબા નગર,બોરીવલી પશ્ચિમના સરનામે ૧ ફેબ્રુઆરીએ પહોંચી જશો!
read more
મલાડમાં જિલ્લા શિક્ષણ વિભાગે યોજ્યું છે એક રસપ્રદ વિજ્ઞાન પ્રદર્શન- આ રહી વિગતો
આજના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ રસ પેદા થાય એવું વાતાવરણ નિર્માણ કરવું ખૂબ જરૂરી છે. વિધાર્થીઓમાં સંશોધન તરફના અભિગમને વેગ આપવા અને તેમની કલ્પનાશકિત વિકસાવવા, વિધાર્થીઓને વિજ્ઞાનની નવી શોધોથી પરિચિત કરવા તેમજ તેમના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય સાથે આ વિજ્ઞાન પ્રદર્શન જાન્યુઆરી ૯થી ૧૧ તારીખોમાં મલાડમાં યોજાયું છે. આ પ્રદર્શનનો મુખ્ય થીમ ' ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી' છે. જેના પેટા થીમ છે.... (1) ખોરાક,આરોગ્ય અને સ્વચ્છતા (2) પરિવહન અને સંચાર. (3) કુદરતી ખેતી. (4) ડિઝાસ્ટર મેનેજમેન્ટ. (5) મેથેમેટિકલ મોડલિંગ કોમ્પ્યુટેશનલ થિંકિંગ. (6) વેસ્ટ મેનેજમેન્ટ. (7) રિસોર્સ મેનેજમેન્ટ પ્રદર્શનમાં આવા વિવિધ થીમ હેઠળ વિધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પ્રોજેક્ટસ જોવા મળશે. શિક્ષણ વિભાગ તરફથી શિક્ષક નિરીક્ષક અંતર્ગત જિલ્લા સ્તરના વિજ્ઞાન પ્રદર્શનનું આ આયોજન જે. ડી. ટી હાઇસ્કૂલ સંસ્કાર એજયુકેશન સોસાયટી,કુરાર વિલેજ. મલાડ (ઇસ્ટ) માં તારીખ 9 થી 11 જાન્યુઆરી 2025 ના દિવસોમાં રાખવામાં આવ્યું છે. એનો સમય સવારે 9:00 થી સાંજના 4:00 સુધીનો રહેશે એવું એચ વોર્ડનાં પ્રચાર કન્વીનર તથા પ્યુપીલ્સ ઑન સ્કૂલનાં આચાર્યા કેયુરી પટેલે જણાવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ તથા અન્ય રસ ધરાવતાં વાલીઓ પણ હાજરી આપી શકે છે.
read more
'ઝરૂખો'માં જ્યોતીન્દ્ર દવે, વિનોદ ભટ્ટ અને બકુલ ત્રિપાઠીના સર્જન વિશે ત્રણ વક્તાઓનાં વક્તવ્યો
શનિવારે બોરીવલીમાં 'હાસ્યનાં હળવાં હલેસાં' ગુજરાતી ભાષામાં હાસ્ય સાહિત્ય સારા એવા પ્રમાણમાં ખેડાયું છે. દાયકાઓ અગાઉ સર્જન કરી ગયેલા હાસ્યલેખકો હજી ગુજરાતી વાચકના હૃદયમાં બિરાજમાન છે.ગુજરાતીના ટોચના પાંચ હાસ્યલેખકોમાં જેમને ગણવા જ પડે એવા ત્રણ લેખકનાં સર્જન વિશે ,જે સારા ભાવક છે એવાં ,ત્રણ વક્તાઓ વાત કરે એવું આયોજન ૪ જાન્યુઆરી શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે 'ઝરૂખો 'માં થયું છે. 'ઝરૂખો 'ની આ સાહિત્યિક સાંજમાં જ્યોતીન્દ્ર દવેના સાહિત્ય વિશે દેવાંગ શાહ, વિનોદ ભટ્ટના સર્જન વિશે મિતા દીક્ષિત અને બકુલ ત્રિપાઠીના સર્જન વિશે દેવલ જ્ઞાની વાત કરશે. કેટલાક હાસ્ય નિબંધોમાંથી વાચિકમ પણ થશે. આ કાર્યક્રમ માટે વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતના પરિવારનો સહયોગ છે. સંજય પંડ્યાના સંચાલનમાં ' હાસ્યનાં હળવાં હલેસાં ' કાર્યક્રમ સાઈબાબા મંદિર ,બીજે માળે, સાઈબાબા નગર ,બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે જેમાં સમયસર પહોંચી જશો.બેઠક વ્યવસ્થા વહેલો તે પહેલોના ધોરણે રહેશે.
read more
ADVERTISEMENT