Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લાઇફસ્ટાઈલ સમાચાર ફોટોઝ

 લોંગવૂડ ગાર્ડન્સનો નજારો

ફિલાડેલ્ફિયાની કન્ટ્રીસાઇડમાં પ્લાન કરો એક મસ્ત મજાની ગર્લ્સ ટ્રીપ

વિદેશમાં ઊનાળો જામ્યો છે અને આવામાં વરસાદી માહોલમાંથી નીકળીને વિદેશી સમર માણવી હોય તો ફિલાડેલ્ફિયા એક બેસ્ટ ચોઇસ છે. ખાસ કરીને ફિલાડેલ્ફિયાની કન્ટ્રી  સાઇડમાં એવી ઘણી એક્ટિવિટીઝ અને જગ્યાઓ છે જ્યાં જઇને ત્યાંના સમયને સારામાં સારી રીતે માણી શકાય. આજે જાણીએ કે ફિલાડેલ્ફિયાની કન્ટ્રીસાઇડમાં વીકેન્ડ પ્લાન કરીને ટ્રીપ કેવી રીતે કરી શકાય. (તસવીર - ધી કન્ટ્રીસાઇડ ઑફ ફિલાડેલ્ફિયા) 26 July, 2024 02:26 IST Mumbai | Chirantana Bhatt
ફૂલ થાળીની તસવીર જોઇ મ્હોમાં પાણી આવી જશે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ ભીખુભાની હોટલમાં મળતું પાપડનું શાક એટલે `વર્લ્ડ બેસ્ટ`

એક પ્રખ્યાત રોડ સાઈડ હોટેલની વાત કરવાની શરૂઆત કરતાં પહેલાં, હું એક મહત્વની વાત કહી દઉં કે ઘણી વાર મોટી આલીશાન દેખાતી હોટેલ માત્ર આકર્ષણને માત્ર જ હોય છે, અને ત્યાં મળતા ભોજનમાં કોઈ ખાસીયત દેખાતી નથી. જયારે કે બીજી તરફ, કેટલીક સામાન્ય દેખાતી જગ્યાઓ પર ઊત્તમ વાનગીઓ પણ પીરસાતી હોય છે. એટલે આપણે એવી જગ્યાઓ એકવાર અજમાવવાની હિંમત કરવી જોઈએ અથવા જાણકારની સલાહ લેવી જોઈએ. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી) 26 July, 2024 12:11 IST Mumbai | Chirantana Bhatt
સ્વાસ્થ્યાસનના છઠ્ઠા એપિસોડમાં યોગ નિર્દેશક વનિતા ભાનુશાલી (તસવીર ડિઝાઈન : કિશોર સોસા)

Swasthyasan: એકાગ્રતા વધારવી છે? તો દરરોજ કરજો ‘વૃક્ષાસન’, જાણી લો અન્ય ફાયદા

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘વૃક્ષાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા અને કેટલી વાર સુધી ક્યાં રોકાઈ શકાય છે. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં. 25 July, 2024 01:15 IST Mumbai | Rachana Joshi
ગોવર્ધનનાથજીની હવેલી (મહાવીરનગર,કાંદિવલી)

આસ્થાનું એડ્રેસ: વ્હાલાને વિવિધ હિંડોળે ઝૂલવવા પહોંચી જજો મહાવીરનગરની આ હવેલીમાં

મુંબઈમાં વિવિધ જગ્યાએ પુષ્ટિમાર્ગીય હવેલી આવેલી છે. અનેક વૈષ્ણવોનું આસ્થાનું એડ્રેસ રહેલી આ હવેલીઓ મુંબઈનું અનેરું નજરાણું છે. આજે કાંદિવલી પશ્ચિમમાં આવેલી મહાવીર નગર સ્થિત ગોવર્ધનનાથજીની હવેલીની મુલાકાતે તમને લઈ જવા છે. કાંદિવલીનાં આશરે ૩૦૦થી ૪૦૦ જેટલા વૈષ્ણવો નિત્ય આ હવેલીનાં દર્શને આવતાં હોય છે. ખાસ તો આ હવેલી સ્કૂલની બાજુમાં આવેલી હોવાથી યંગ જનરેશનને પોતાના ધર્મ તરફ વાળે છે. મમ્મીઑ પોતાનાં બાળકને સ્કૂલ પહેલા અહીં પ્રભુના દર્શને મોકલે છે. ત્યારે આવો આજે આ હવેલીની રસપ્રદ વાતો કરીએ. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. 23 July, 2024 11:01 IST Mumbai | Dharmik Parmar
બિંદિયા કાફે અને તેના ચાટ કાઉન્ટરની ઝલક

જ્યાફતઃ પરંપરાગત વાનગીઓ પીરસતા બિંદિયા કાફેનો મંત્ર મહિલા વિકાસ અને સશક્તિકરણ

અમદાવાદનું ફૂડ અને હોસ્પિટાલિટી ક્ષેત્ર વાઇબ્રન્ટ બની રહ્યું છે. એવામાં અવનવા કોન્સેપ્ટ સાથે લોકોને આકર્ષવા માટે નવી નવી રેસ્ટોરન્ટ અને કાફે બની રહ્યા છે. આજે એક નવી ઇટરીની વાત કરીએ. અમદાવાદના એરપોર્ટ તરફના છેડે ગાંધીનગરના રસ્તે ભાટ ગામ આવેલું છે. તે ભાટ ગામનો બ્રિજ પુરો થાય એટલે મધર ડેરી આવે, કે જે અમુલના પ્રોડક્ટ્સ બનાવનાર સૌથી મોટી ડેરીઓ પૈકીની એક છે અને તેની બહાર અમુલ પાર્લર કાયમ અમદાવાદ ગાંધીનગર વચ્ચેના પ્રવાસીઓથી ભીડથી ઘેરાયેલું રહે છે. ત્યારે આ જ વિસ્તારમાં એક અનોખા કોન્સેપ્ટ સાથે નવું  કાફે કમ રેસ્ટોરન્ટ શરૂ થઇ ગયું છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી) 19 July, 2024 05:28 IST Mumbai | Chirantana Bhatt
સ્વાસ્થ્યાસનના પાંચમા એપિસોડમાં યોગ નિર્દેશક વનિતા ભાનુશાલી (તસવીર ડિઝાઈન : કિશોર સોસા)

Swasthyasan: આસનોના પ્રધાન સર્વાંગાસનના છે અઢળક ફાયદા

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું આસનોના પ્રધાન ‘સર્વાંગાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા અને કેટલી વાર સુધી ક્યાં રોકાઈ શકાય છે. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં. 18 July, 2024 12:31 IST Mumbai | Rachana Joshi
ભગવતીકુમાર શર્મા

કવિવાર: અમે આંધી વચ્ચે તણખલાંના માણસ... કવિ ભગવતીકુમાર શર્મા

હરગોવિંદભાઈ અને હીરાબહેનનાં આંગણિયે જન્મેલા સુરતનાં કવિ ભગવતીકુમાર શર્માને કોણ ન ઓળખે? સાહિત્યક્ષેત્ર સિવાય તેઓનું પત્રકારત્વ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ધાર્મિક વાતાવરણમાં ઉછરેલા આ કવિની અનેક રચનાઓમાં હરિ પ્રત્યેની પ્રીતિની પ્રતીતિ થાય છે. અનેક કવિતાઓ સાથે તેમની પાસેથી ‘ઉધ્વમૂલ’ તેમ જ ‘અસૂર્યલોક’જેવી નવલકથાઓ પણ મળે છે. પ્રૂફરીડરથી પત્રકાર અને એ પછી તો અનેક મુકામો શબ્દની આરાધના થકી મેળવ્યા હતા. આજે કવિવારમાં તેમની જ સદાબહાર રચનાઓ માણીશું ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.  16 July, 2024 10:30 IST Mumbai | Dharmik Parmar
34મા રેનડ્રોપ્સ ફેસ્ટિવલમાં મુંબઈ સહિત વિવિધ રાજ્યના કુલ આઠ કલાકારોનું પરફોર્મન્સ જોવા મળશે. તસવીર સૌજન્ય - સામવેદ સોસાયટી ફોર પરફોર્મિંગ આર્ટ્સ

34મા રેનડ્રોપ્સ ફેસ્ટિવલમાં જોઇ શકશો ઉત્કૃષ્ટ શાસ્ત્રીય નૃત્યકલા

34મા રેનડ્રોપ્સ (Raindrops Festival) ફેસ્ટિવલને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જાણીએ કે મુંબઈના સંસ્કૃતિક પરિદ્રશ્યમાં નૃત્યના રંગ ભરનારા આ ફેસ્ટિવલમાં આ વર્ષે કયા કલાકારો ભાગ લેશે. આ ફેસ્ટિવલ સામવેદ સોસાયટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ (Samved Society for Performing Arts)દ્વારા યોજવામાં આવે છે જેના સ્થાપક સંગીત નાટક અકાદમી પુરસ્કાર વિજેતા કથક નૃત્યાંગના અને વિદુષી ઉમા ડોગરા  (Uma Dogra) છે. દર વર્ષે જુલાઇમાં બે દિવસીય નૃત્ય સમારોહમાં વિવિધ શાસ્ત્રીય નૃત્યકારો પોતાની કલાની રજુઆત કરે છે. આ વર્ષે 26 અને 27મી જુલાઇના રોજ  SPJIMR ઓડિટોરિયમ, ભવન્સ કૉલેજ કેમ્પસ, અંધેરી વેસ્ટ (Andheri West) ખાતે યોજાનારા ફેસ્ટિવલમાં કથક, ભરતનાટ્યમ, ઓડિસી અને કુચીપડી જેવાં શાસ્ત્રીય નૃત્યનો આસ્વાદ કરવા મળશે. 15 July, 2024 04:51 IST Mumbai | Chirantana Bhatt

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK