કેટલીક વાનગીઓના સ્વાદ એવા હોય છે, જે આપણને પળવારમાં કોઈ શહેરની ગલીઓમાં પહોંચાડી દે. ગરમાગરમ તેલમાં તળાતા બટાકાવડા થી લઈને લસણની તીખી સૂકી ચટણીની સોડમ, ઠેચાની તીખી ખુશ્બુ અને પટ્ટી મરચાંનો ચટાકો. આ ચારેય સુગંધ એકસાથે આવે એટલે મનમાં સૌથી પહેલું નામ આવે, મુંબઈનું વડાપાંવ. જે ત્યાં માત્ર નાસ્તો નથી; એ શહેરની ઓળખ છે, સંઘર્ષનું પ્રતીક છે અને લાખો લોકોના રોજિંદા જીવનનો હિસ્સો છે. પરંતુ જ્યારે આ જ મુંબઈનો અસલી સ્વાદ અમદાવાદના હૃદયમાં ધબકવા લાગે, ત્યારે એક પાક્કા ફુડી તરીકે ત્યાં પહોંચવું તો બને જ. આ જ ઉત્સુકતા મને પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં, મેટ્રો મોલની સામે, બાપા સીતારામ ચોકમાં આવેલી ભાઉ કા વડાપાંવ સુધી લઈ ગઈ.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)07 August, 2026 03:52 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રેમ ભાગ્યે જ ફક્ત મોટા જેશ્ચર્સ, કમ્પલિટ ટાઇમિંગ કે રોમેન્ટિક સરપ્રાઇઝિસ વિશે હોય છે. પ્રેમ આપણી ભાવનાત્મક જરૂરિયાતો, આપણે કેવી રીતે વાતચીત કરીએ છીએ અને સંબંધો જ્યારે આપણને વિકસવા માટે પડકાર આપે ત્યારે આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ તેનાથી ઘડતો હોય છે. વૈદિક જ્યોતિષમાં, આ ઊંડા ભાવનાત્મક પેટર્ન સૌથી સારી રીતે જન્મ રાશિથી સમજાય છે. ઘણા લોકો પોતાની સન સાઇનથી પરિચિત હોય છે, પણ સંબંધોની વાત આવે ત્યારે વૈદિક જ્યોતિષ મૂન સાઇન એટલે કે ચંદ્ર રાશી પર વધુ ભાર મૂકે છે. ચંદ્ર મન, લાગણીઓ, સહજ વૃત્તિ અને જોડાણને નિયંત્રિત કરે છે. તે પ્રભાવિત કરે છે કે આપણે પ્રેમ કેવી રીતે વ્યક્ત કરીએ છીએ, શ્યોરીટી કેવી રીતે શોધીએ છીએ, સંઘર્ષને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ અને આત્મીયતા કેવી રીતે બાંધીએ છીએ. એટલે જ ચંદ્ર રાશીનાં પ્રેડિક્શન્સ દિલની બાબતોમાં ઘણી વાર વધુ વ્યક્તિગત અને સચોટ લાગે છે.જો તમે આ મહિનાનું લવ ફોરકાસ્ટ વાંચી રહ્યા છો, તો શરૂ કરતાં પહેલાં તમારી જન્મ સમયની રાશી ચેક કરી લેવી યોગ્ય રહેશે. નીચે આપેલા ઇનસાઇટ્સ તમારી રાશિના ભાવનાત્મક પ્રભાવ પર આધારિત છે. - લેખકઃ કૃષ્ણન સંપથ, સિનિયર વૈદિક જ્યોતિષી, iMeUsWe01 August, 2026 07:30 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમદાવાદનું નામ આવે એટલે મનમાં માણેકચોક, લો ગાર્ડન કે વસ્ત્રાપુરમા મળતા ગરમાગરમ સ્ટ્રીટ ફૂડના દ્રશ્યો તરત જ જીવંત થઈ જાય. પરંતુ શહેરના પૂર્વ ભાગમાં આવેલું કુબેરનગર, જેને અમદાવાદનું સિંધી હૃદય પણ કહેવામાં આવે છે, ત્યાંનો સ્વાદ કંઈક અલગ જ છે. અહીંની ગલીઓમાં ફરતા તમને સિંધી સંસ્કૃતિની સુગંધ તો મળશે જ, પરંતુ સાથે એવી વાનગીઓ પણ મળશે જે વર્ષો સુધી યાદ રહી જાય. થોડા દિવસ પહેલાં હું, મીના આંટી અને મિત્ર કમલ ટેકવાની સાથે એ જ સ્વાદની શોધમાં કુબેરનગરના રાજાવીર સર્કલ પહોંચી હતી. સ્થાનિક લોકોએ એક જ નામ વારંવાર કહ્યું, "Best Panipuri". નામ ભલે સાદું હોય, પરંતુ અહીં મળતો સ્વાદ ખરેખર પોતાના નામને સાર્થક કરે છે.31 July, 2026 03:00 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું સેન્સેઈને જેઓ ચીનની પ્રખ્યાત કળા‘તાઈ ચી’ને ભારતમાં લઈ આવ્યા.29 July, 2026 05:06 IST Mumbai | Viren Chhaya
કવિવારની શ્રેણીના આ મણકામાં શિકાગોસ્થિત કવિ અશરફ ડબાવાલાની રચનાઓ રજૂ કરવી છે. ભાષાના કવિઓને વિદેશની ધરતી પર માન-સન્માન આપનાર અશરફભાઈ અને તેમનાં ધર્મપત્ની ડૉ. મધુમતી મહેતા તો ભાષાનું ઘરેણું છે. આ ડૉક્ટર દંપતી શિકાગોમાં ભાષાસંવર્ધન માટે સતત પ્રયાસરત રહે છે. અશરફભાઈનો જન્મ અમેરલીમાં ૧૯૪૮ની સાલમાં ૧૩મી જુલાઇએ થયેલો. તેઓની પાસેથી આપણને `અલગ`, `ધબકારાનો વારસ` અને `વાણીપત` નામના સંગ્રહો મળે છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.28 July, 2026 02:38 IST Mumbai | Dharmik Parmar
અમદાવાદમાં ગમે તેટલી વૈશ્વિક અને આધુનિક રેસ્ટોરન્ટ્સ ખુલે, પણ જો ભોજનમાં ઘર જેવો અમૃત સ્વાદ અને આદરપૂર્વક પીરસવાનો ભાવ ન હોય, તો અમદાવાદીઓ તેને નકારી દે છે. પરંતુ, જ્યારે મહેસાણાની અસલ, ખમીરવંતી મહેમાનગતિ અમદાવાદના આંગણે આવે, ત્યારે સ્વાદનો નવો જ ઇતિહાસ રચાય છે. આજે એક એવી જ અદ્ભુત અને પ્રેરણાદાયી સફરની વાત કરવી છે, જે માત્ર એક રેસ્ટોરન્ટની સફળતા નથી, પણ એક સામાન્ય માણસના અસામાન્ય સપનાની ઉડાન છે. આ સફર છે મહેસાણાના વતની સંજયભાઈ પ્રજાપતિની. તેમણે ક્યારેક હાથમાં પાના-પક્કડ પકડીને સ્કૂટરના ગેરેજમાં મિકેનિક તરીકે જિંદગીના સંઘર્ષની શરૂઆત કરી હતી, પણ આજે તેમનું નામ અમદાવાદના ખૂણે-ખૂણે ફૂડ લવર્સની જીભ પર રમે છે. તેમની બ્રાન્ડ ‘પ્રજાપતિ ભાખરી શાક’ માત્ર ૮ જ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર અમદાવાદ શહેરમાં ધૂમ મચાવી રહી છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)24 July, 2026 05:29 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
આજે નવી પેઢીના શાયર રાકેશ હાંસલિયાની રચનાઓ તરફ જવું છે. તેમનો જન્મ ૧૮ ઓક્ટોબર ૧૯૭૪ના રોજ રાજકોટના ખજૂરડામાં થયેલો. તાજેતરમાં જ કવિનો નવો ગઝલસંગ્રહ `તારું શિખર તને મળી જાશે` આવ્યો. તે પહેલાં કવિએ અન્ય મિત્રો સાથે મળીને `તત્ત્વ` નામનો સંગ્રહ પ્રગટ કરેલો. તેમની પાસેથી આપણને `જે તરફ તું લઇ જશે` અને`ક્યારેક ઉત્તર પણ મળે` નામનો સંગ્રહ આપણને મળ્યો છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.21 July, 2026 10:09 IST Mumbai | Dharmik Parmar
ચોમાસાની ઝરમર વરસાદી સાંજ... હવામાં ભીની માટીની સુગંધ ભળી રહી હતી અને મન કંઈક ગરમાગરમ, તીખું અને ચટપટું ખાવા માટે તલપાપડ બની ગયું હતું. આવી જ એક સાંજે મારી સફર પહોંચી અમદાવાદમાં સિંધી સમુદાયના હૃદય સમાન કુબેરનગર વિસ્તારમાં આવેલા રાજાવીર સર્કલ પાસે, Bholenath Pettis & Food Point ખાતે. જ્યાં છેલ્લા 55 વર્ષથી એક એવો સ્વાદ જીવંત છે, જે માત્ર પેટ જ નથી ભરતો, પરંતુ ત્રણ પેઢીઓની મહેનત, પરંપરા અને વિશ્વાસની કહાની પણ કહે છે. દૂરથી જ મોટી કડાઈમાં ધીમે ધીમે ઉકળતો સફેદ વટાણાનો ઘટ્ટ રગડો, વિશાળ તવા પર સોનેરી રંગે શેકાતી પેટીસ અને તાજી કોથમીરની સુગંધ મને સીધી જ આ ફૂડ પોઇન્ટ સુધી ખેંચી ગઈ. ત્યાં પહોંચતા જ સમજાઈ ગયું કે અહીં લોકો માત્ર નાસ્તો કરવા નથી આવતા, પરંતુ વર્ષોથી મનપસંદ બની ગયેલો સ્વાદ ફરી એકવાર માણવા આવે છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)17 July, 2026 05:37 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK