અસલ તો અસલ જ હોય, એની કોઈ જોડ ન હોય. ઓડિશાના તટીય ટાઉન પુરીમાં આવેલું જગન્નાથ મંદિર બેજોડ છે, બેનમૂન છે, બેમિસાલ છે. એની મહત્તા, પવિત્રતા કે ચેતના સાથે કોઈ પણ મંદિર બરાબરી ન જ કરી શકે. એનાં અસ્તિત્વ અને આસ્થાને સર આંખોં પર રાખીને આપણે માનસીયાત્રા કરીએ દેશનાં અન્ય શહેરોમાં આવેલાં શ્રી જગન્નાથ મંદિરની જે ઓરિજિનલ મંદિરની ફર્સ્ટ કૉપી, સેકન્ડ કૉપી કે થર્ડ કૉપી સમાન બનાવવામાં આવ્યાં છે
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
મુંબઈગરાઓને ચેન્નઈ, બૅન્ગલોર, દિલ્હી કે હૈદરાબાદ કેવી રીતે જવું, શું જમવું એ કહેવું જ ન પડે. જો દિઘા જવું હોય તો કલકત્તાથી વન-ડે ટૂર કરી શકાય. હાવડાથી ટ્રેનો અને બસો દ્વારા દિઘા પહોંચી શકાય છે. બાકી દિઘામાં રહેવું હોય તો મીડિયમ કક્ષાની પણ બેટર કહી શકાય એવી હોટેલો છે. હા, સી-ફેસિંગ હોટેલ તમારી રજાને વધુ મજાની બનાવી દેશે. બાકી વેજિટેરિયન ફૂડ માટે હોટેલની રેસ્ટોરાં ઇઝ ઓન્લી ઑપ્શન. ચાંદીપુર બીચ માટે પ્રસિદ્ધ ઓડિશાના બાલાસોર જવા મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનલથી ડાયરેક્ટ ટ્રેન મળે છે. કલકત્તા અને ભુવનેશ્વરની મધ્યમાં આવેલા આ ટાઉનમાં પણ રહેવાનાં તથા ફરવાનાં સ્થળો અને ઘણાં મંદિરો છે. બાલાસોરથી ઇમામી જગન્નાથ મંદિરનું અંતર ફક્ત ૧૧ કિલોમીટર છે. બલેશ્વર તરીકે ઓળખાતા આ ટાઉનમાં જ આપણી બૅલેસ્ટિક મિસાઇલની પરીક્ષણ-રેન્જ છે. અહીંથી ૧૦૦ કિલોમીટર દૂર ભોગરાઈમાં બાબા ભુસન્દેશ્વર મંદિર છે જે ૧૨ ફુટ લાંબું અને ૧૪ ફુટ પહોળું છે. કહેવાય છે કે આ તો શિવલિંગનો અડધો હિસ્સો માત્ર છે. બાકીનો અડધો ભાગ વર્ષોથી જમીનમાં દટાયેલો છે.
નીલાંચલવાલાનો મહિમા અપરંપાર છે.
આગળ કહ્યું એમ જગન્નાથજીને ઓડિયા સમુદાય ઉપરાંત અન્ય રાજ્યોના રહેવાસીઓ પણ ખૂબ ભક્તિથી પૂજે છે. આથી તેમનાં નાનાં-મોટાં મંદિરો દરેક રાજ્યનાં અનેક શહેરોમાં છે. એમાંય ઘણાં મેટ્રોમાં તો પુરીના મંદિરની પ્રતિકૃતિ જેવાં જ મંદિરો બન્યાં છે. એ સૂચિમાં રાંચી સ્ટેશનથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલા ધુર્વામાં ૧૦૦ ફુટ ઊંચી પહાડી પર બનેલું જગન્નાથ મંદિર પણ અગ્ર ક્રમાંકે આવે છે. વળી અહીં તો છેક ૧૬૯૧થી જગન્નાથજી બિરાજે છે. જોકે સમયે-સમયે મંદિરની સંરચનામાં ફેરફાર આવ્યા છે પણ હાલનું મંદિર, ખાસ કરીને શિખર અદલોઅદ્દલ ઉત્કલ પુરીના જગન્નાથ મંદિરની ઝેરોક્સ જેવું જ ડિટ્ટો બનાવાયું છે. જોકે ૮૫-૯૦ મીટરની ઊંચાઈ ધરાવતું શિખર રંગે શુભ્ર છે, પરંતુ વાસ્તુકલા કૉપી ટુ કૉપી. જગન્નાથ મંદિરની રેપ્લિકાની જ વાત ચાલતી હોય તો ભારતની સિલિકૉન વૅલી બૅન્ગલોરના અગરા વિસ્તારના મંદિરને ન ભુલાય. પથ્થરમાંથી બનેલા આ મંદિરમાં સ્થાપત્ય કારીગરી પ્રમાણમાં ઓછી છે, પરંતુ શિખરનો શેપ અદલોઅદ્દલ પુરીના મંદિર જેવો છે. અહીં પણ રથયાત્રા ઉત્સવમાં ૧૫,૦૦૦થી વધુ ભક્તો જોડાય છે. ઓડિશાના અંગુલ જિલ્લાસ્થિત શૈલામાં આવેલું શ્રી ક્ષેત્ર મંદિર જગન્નાથ, બલભદ્ર, સુભદ્રાને સમર્પિત મંદિર પણ મેઇન મંદિરની થર્ડ કૉપી જેવું છે. વળી અહીંની સ્નાનયાત્રા અને રથયાત્રા તો રાજ્યભરમાં પ્રસિદ્ધ છે. એ જ રીતે દિલ્હીના હૌજ ખાસ અને ઉત્તર પ્રદેશના નોઓડામાં આવેલા જગન્નાથ મંદિરની વાસ્તુકલા પણ પુરીના મંદિરની નકલ સમાન કહી શકાય.12 July, 2026 04:27 IST Mumbai | Darshini Vashi
"ભૂખ્યા ભજન ના થાય રે ગોપાલા..." આ એક વાક્યમાં આપણી આખી સંસ્કૃતિ વસે છે. કારણ કે જ્યારે પેટ તૃપ્ત હોય, ત્યારે જ મન ભક્તિમા લીન થાય. કહેવાય છે ને, "પ્રભુ ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા સુવાડતા નથી." કીડીથી હાથી સુધી, સૌના જઠરાગિ્નની જવાબદારી એ જગતનાથે ઉપાડી છે. મૂળ વાત એ છે કે ઇશ્વર દયાળુ છે અને તે સૌનું કલ્યાણ કરે છે. તો ચાલો આજે હું તમને રથયાત્રાના દિવસે ભક્તોના હૃદયને સૌથી વહાલી એવી પરંપરાગત મહાપ્રસાદી ખીચડીનો મહિમા સંભળાવતા તેની પાછળ રહેલી ભક્તિની એ અમર કથાનો અનુભવ કરાવીશ અને તમે ઘરે આસાનીથી બનાવી શકો એટલે તેની ખાસ શાહી રેસિપી શેર કરીશ. ગુજરાતભરની આસ્થાનું ધામ એટલે અમદાવાદ-જમાલપુરનું ભવ્ય જગન્નાથ મંદિર. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન દેવા નીકળે છે. અને આ નગરયાત્રાને આપણે રથયાત્રા તરીકે પૂજીએ છીએ. આ વર્ષે ૧૬ જુલાઈ, ગુરુવારે, અષાઢ સુદ બીજના પાવન દિવસે ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા સજશે. “જય રણછોડ, માખણચોર”ના નાદથી આખું અમદાવાદ ભક્તિમાં તરબોળ થશે. કાળઝાળ ગરમીને કારણે વહેલી સવારે નાથ લાલ મખમલી વાઘા, સોનેરી બખતર અને મોતીના શણગારમાં દર્શન આપશે. પુરી પછી દેશની બીજી સૌથી મોટી આ અમદાવાદની રથયાત્રા માત્ર શોભાયાત્રા નથી, તે ૧૮૭૮થી ચાલી આવતી, ભક્તિ, પરંપરા, સેવા અને સ્વાદનો જીવંત લોકોત્સવ છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)10 July, 2026 12:37 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
મકરંદ દવેનો જન્મ ગોંડલમાં થયેલો. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા અભ્યાસને પડતો મૂક્યો હતો. તેમની કવિતાઓમાં પરમ અનુભૂતિનો સ્પર્શ આપણને થાય છે, તે તેમના ગુરુ નાથાલાલ જોશીને લીધે. તેમના સહવાસે મકરંદભાઈએ આત્મ તરફની યાત્રા આરંભી. લેખિકા કુન્દનિકા કાપડિયા સાથે લગ્ન બાદ તેઓએ વલસાડના ધરમપુર ખાતે નંદીગ્રામની સંકલ્પના સાકારીને આધ્યાત્મિકતાની ધૂણી ધખાવી. તેમણે કુમાર, ઉર્મિ નવરચના, સંગમ, પરમાર્થી વગેરે સામયિકો અને જય હિંદ દૈનિકના સંપાદનનું કામ પણ બખૂબી કર્યું.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.07 July, 2026 04:35 IST Mumbai | Dharmik Parmar
અમદાવાદની સ્વાદયાત્રા દરમિયાન થોડા દિવસો પહેલાં મારા પગલા પૂર્વ વિસ્તારના વસ્ત્રાલ તરફ વળ્યા. સાંજ પડતાં જ અહીં ખાણીપીણીની લારીઓની વચ્ચે મેટ્રો પિલર નંબર ૧૬૫ સામે એક નાનકડી ફૂડ કાર્ટ પર જામેલી ભીડે મારું ધ્યાન ખેંચ્યું. માંડ એક મહિના પહેલાં શરૂ થયેલા આ સ્ટોલ પર યુવાન વહુ ભૂમિબેન પ્રજાપતિ ગરમાગરમ જામનગરી ઘૂઘરા તળી રહ્યાં હતાં અને સસરા પ્રેમથી ગ્રાહકોને સાચવી રહ્યા હતા. આ અનોખી સસરા-વહુની જુગલબંધીએ વસ્ત્રાલના સ્વાદરસિકોના દિલ જીતી લીધા છે અને તેમના ઘર જેવા સ્વાદે મને તેમની કહાનીને નજીકથી જાણવાની ઉત્સુકતા વધારી.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)03 July, 2026 10:55 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રેમ ભાગ્યે જ ફક્ત મોટા જેશ્ચર્સ, કમ્પલિટ ટાઇમિંગ કે રોમેન્ટિક સરપ્રાઇઝિસ વિશે હોય છે. પ્રેમ આપણી ભાવનાત્મક જરૂરિયાતો, આપણે કેવી રીતે વાતચીત કરીએ છીએ અને સંબંધો જ્યારે આપણને વિકસવા માટે પડકાર આપે ત્યારે આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ તેનાથી ઘડતો હોય છે. વૈદિક જ્યોતિષમાં, આ ઊંડા ભાવનાત્મક પેટર્ન સૌથી સારી રીતે જન્મ રાશિથી સમજાય છે. ઘણા લોકો પોતાની સન સાઇનથી પરિચિત હોય છે, પણ સંબંધોની વાત આવે ત્યારે વૈદિક જ્યોતિષ મૂન સાઇન એટલે કે ચંદ્ર રાશી પર વધુ ભાર મૂકે છે. ચંદ્ર મન, લાગણીઓ, સહજ વૃત્તિ અને જોડાણને નિયંત્રિત કરે છે. તે પ્રભાવિત કરે છે કે આપણે પ્રેમ કેવી રીતે વ્યક્ત કરીએ છીએ, શ્યોરીટી કેવી રીતે શોધીએ છીએ, સંઘર્ષને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ અને આત્મીયતા કેવી રીતે બાંધીએ છીએ. એટલે જ ચંદ્ર રાશીનાં પ્રેડિક્શન્સ દિલની બાબતોમાં ઘણી વાર વધુ વ્યક્તિગત અને સચોટ લાગે છે.જો તમે આ મહિનાનું લવ ફોરકાસ્ટ વાંચી રહ્યા છો, તો શરૂ કરતાં પહેલાં તમારી જન્મ સમયની રાશી ચેક કરી લેવી યોગ્ય રહેશે. નીચે આપેલા ઇનસાઇટ્સ તમારી રાશિના ભાવનાત્મક પ્રભાવ પર આધારિત છે. - લેખકઃ કૃષ્ણન સંપથ, સિનિયર વૈદિક જ્યોતિષી, iMeUsWe30 June, 2026 05:09 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
તાજેતરમાં જ ભવન્સ અંધેરીમાં સ્વર્ગસ્થ કવિ યુસુફ બુકવાલાના કાવ્યસંપુટ `ચહેરા`ની બીજી આવૃત્તિનો લોકાર્પણ પ્રસંગ યોજાયો. કવિ યુસુફ એટલે ગુજરાતી ભાષાને જેણે મુક્તકોથી શણગારી છે. કવિની જન્મશતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે આવો કવિવારના માધ્યમથી તેમની ભાવવંદના કરીએ.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.30 June, 2026 12:54 IST Mumbai | Dharmik Parmar
આખા ધાણા, વરિયાળી, અજમો અને જીરુંને ધીમી આંચે શેકીને અધકચરા પીસવામાં આવે, પછી તેમાં ઝીણા સમારેલા આદુ-મરચાં, હિંગ, હળદર, આમચૂર પાવડર અને ગરમ મસાલાનું સંતુલિત મિશ્રણ ઉમેરાય, ત્યારે એક અનોખી સુગંધ સર્જાય છે. આ તમામ સામગ્રી જ્યારે બાફેલા બટાકા અને ચણાદાળના માવા સાથે એકરૂપ થાય છે, ત્યારે તેની સોડમ જ સ્વાદપ્રેમીઓને આકર્ષવા માટે પૂરતી બની જાય છે. ત્યારબાદ આ મસાલેદાર પૂરણને સમોસાના પાતળા પડમાં ભરીને શુદ્ધ સીંગતેલમાં સોનેરી અને ખસ્તા થાય ત્યાં સુધી તળવામાં આવે છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)26 June, 2026 02:57 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
લુઇસિયાનાની રોડ ટ્રિપનું આયોજન કરી રહ્યા છો? કુદરતી સૌંદર્યથી ભરપૂર આઉટડોર સફરો, અમેરિકાના ઇતિહાસના મહત્ત્વપૂર્ણ પ્રકરણો સાથે પરિચય કરાવતી યાત્રાઓ, સંગીતના વારસાને ઉજાગર કરતી ટ્રેલ્સ કે કલા અને સંસ્કૃતિની રંગબેરંગી સફરો – લુઇસિયાનામાં દરેક રસ-રૂચિના પ્રવાસી માટે કંઈક વિશેષ છે. આ માર્ગો પરની દરેક સફર અનોખાં સ્થળો અને અનુભવો સાથે તમને લુઇસિયાનાની સમૃદ્ધ સાંસ્કૃતિક તથા પ્રાકૃતિક ધરોહરને નજીકથી ઓળખવાની તક આપે છે.23 June, 2026 06:03 IST Louisiana | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK