Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ફોટોઝ

સમાચાર ફોટોઝ

તસવીરો: સ્મિતા જૈન

Photos: મહાવીરનગરની આ સોસાયટીમાં ગુજરાતી બહેનોએ ઊજવી ચૈત્ર નવરાત્રી

તાજેતરમાં જ ચૈત્રી નવરાત્રીનો તહેવાર પૂર્ણ થયો છે. માતાજીના આ તહેવારની ઉજવણી લોકો વિવિધ રીતે કરે છે. નવરાત્રી દરમિયાન કન્યા પૂજનનું ખૂબ મહત્ત્વ છે, ત્યારે કાંદિવલીમાં મહાવીરનગર સ્થિત એક સોસાયટીએ અનોખા અંદાજમાં નવરાત્રીની ઉજવણી કરી છે. 26 April, 2024 01:24 IST Mumbai | Karan Negandhi
તસવીર: એકનાથ શિંદેની ટીમ

પીએમ મોદીની સિદ્ધિઓ હિમાલય જેવી છે… એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) એ ગુરુવારે છત્રપતિ સંભાજીનગર (Chhatrapati Sambhajinagar) માં લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Election 2024) ની રેલીને સંબોધિત કરી હતી. આ રેલી દરમિયાન એકનાથ શિંદેએ શિવસેના - યુબીટી (Shiv Sena - UBT) ના વડા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર પ્રહારો કર્યા હતા. (તસવીરોઃ એકનાથ શિંદેની ટીમ) 25 April, 2024 09:30 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાળંગપુર હનુમાન જન્મોત્સવ

સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવ પર કાપવામાં આવી ૨૫૦ કિલોની કેક

ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે હનુમાન જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવાયો હતો. હનુમાનદાદાનાં દર્શન કરવા લાખ્ખો ભક્તજનો વહેલી પરોઢથી મંદિરમાં ઊમટ્યા હતા અને હનુમાનદાદાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.  ૫૦૦૦ કિલો હજારીગલનાં ફૂલોથી મંદિરની અંદર અને બહાર સુશોભન કરાયું હતું અને ૫૦ કિલો ગુલાબનાં ફૂલોથી હનુમાનદાદાના સિંહાસનની આસપાસ શણગાર કરાયો હતો. હનુમાનદાદાને સુવર્ણના વાઘા ધારણ કરાવ્યા હતા. સવારે પાંચ વાગ્યે મંગળા આરતી યોજાઈ હતી અને સવારે સાત વાગ્યે શણગાર આરતી યોજાઈ હતી. ત્યાર બાદ હનુમાનદાદાનું બર્થ-ડે સેલિબ્રેશન થયું હતું જેમાં ૨૫૦ કિલોની કેક કાપવામાં કરવામાં આવી હતી અને હર્ષોલ્લાસથી હનુમાનદાદાના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ આહુતિ અર્પણ કરી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સાળંગપુરમાં હનુમાનદાદાનાં દર્શન કરવા આવ્યા હતા. અન્નકૂટ આરતીમાં તેઓએ દાદાની આરતી ઉતારી હતી અને અન્નકૂટમાં સહભાગી થઈને હનુમાનદાદાના આશીર્વાદ મેળવ્યા હતા અને લોકો માટે સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.  24 April, 2024 11:57 IST Ahmedabad | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્ર દિવસ, દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે, જે 1960 માં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય વચ્ચે સીમા તૈયાર કરી આ દિવસને ખાસ બનાવવામાં આવ્યો.

દાદરના શિવાજી પાર્કમાં મહારાષ્ટ્ર દિવસની તૈયારીઓ ચાલી રહી છે, જુઓ તસવીરો

મહારાષ્ટ્ર દિવસ, દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે, જે 1960 માં મહારાષ્ટ્ર રાજ્યની રચનાની યાદમાં ઉજવવામાં આવે છે. તે મહત્વપૂર્ણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે કારણ કે તે દિવસને ચિહ્નિત કરે છે જ્યારે રાજ્યની સત્તાવાર રીતે સ્થાપના કરવામાં આવી હતી. તસવીરો/અદિતિ હરાલકર 23 April, 2024 09:56 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉમંગ ચાવડા, મનહર ઓઝા

ઓનલાઈન પ્લેટફોર્મ પર પુસ્તક જેટલું લખી નાખ્યું પણ એની ચોરી ન થાય માટે શું કરવું?

World Book Day And Copyright Day: આજનો દિવસ સમગ્ર વિશ્વમાં `વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ` તરીકે ઉજવવામાં આવે છે. ખાસ તો આ દિવસ પુસ્તકો અને તેના લેખકો પ્રત્યે આદર વ્યક્ત કરવાની અને સાહિત્યિક કૃતિઓનું મહત્વ વધારવા માટે જ હોય છે. આજના દિવસને પુસ્તકોના મહત્વ વિશે લોકોને જાગૃત કરવા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે. ગુજરાતીમાં પણ કેટલાય સર્જકો છે જેઓ પોતાના પુસ્તકો લખવા ઈચ્છે છે તો આજે તેઓની માટે કૉપીરાઇટ વિષયને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. વળી,  આજે સોશિયલ મીડિયામાં લેખકો પોતાનું અધધ સાહિત્ય મૂકતાં હોય છે તો તેવા સર્જકોએ પોતાનાં લખાણની ચોરી ન થાય માટે શું કરવું જોઈએ? તે વિશે જાણીશું. આજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે આ મુદ્દે જાણીતા લેખક અને ગુજરાતી લેખક મંડળમાં સક્રિય મનહર ઓઝા અને ઓનલાઈન પ્લેટફોર્મ શૉપિઝનનાં સી. ઇ. ઓ ઉમંગ ચાવડાએ વાત કરી છે. 23 April, 2024 03:44 IST Ahmedabad | Dharmik Parmar
તસવીરો: નરેશ સંઘવી

ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે વાશીમાં ભવ્ય રથયાત્રાનું આયોજન, જુઓ તસવીરો

તારીખ 21 એપ્રિલ 2024ના રોજ, વાશીમાં મહાવીર જયંતી ખૂબ જ ધૂમધામથી ઊજવાઈ. ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે વાશીમાં ભવ્ય રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. 22 April, 2024 08:03 IST Mumbai | Karan Negandhi
તસવીરઃ સમીર સૈયદ આબેદી

Lok Sabha Elections 2024: અજિત પવારની NCPએ જાહેર કર્યો મેનિફેસ્ટો

અજિત પવાર (Ajit Pawar) ની આગેવાની હેઠળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) માટે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. જેમાં પાર્ટી પૂર્વ મુખ્યમંત્રી યશવંતરાવ ચવ્હાણને પ્રતિષ્ઠિત ભારત રત્ન પુરસ્કાર આપવા અને મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની પોતાની માંગણીઓ રજૂ કરશે. મેનિફેસ્ટોનો ઉદ્દેશ્ય ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવને તેમના અધિકાર તરીકે ટેકો આપવા અને તેની સુરક્ષાની ખાતરી આપવાનો છે. (તસવીરોઃ સમીર સૈયદ આબેદી) 22 April, 2024 07:39 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: મિડ-ડે

Salman Khan Firing Case: સુરતની તાપી નદીમાં ક્રાઇમ બ્રાન્ચ શોધી રહી છે બંદૂક

બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરે ગત અઠવાડિયે થયેલી ફાયરિંગની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. સલમાન ખાન ફાયરિંગ કેસમાં આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલી બંદૂક પરત મેળવવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. (તસવીરોઃ મિડ-ડે) 22 April, 2024 06:51 IST Surat | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK