![ગણેશોત્સવ ૨૦૨૩: મહાવીર નગરની વીણા સિતાર સોસાયટીના 'સિદ્ધિવિનાયક'ના કરો દર્શન](https://middaycdn.s.llnwi.net/Image_GMD/images/voice_of_mumbai/Screenshot_20230919_143537_WhatsApp.jpg)
કાદિવલી મહાવીર નગરમાં આવેલી વીણા સિતાર કૉ-ઓપરેટિવ સોસાયટીમાં ધામધૂમથી બાપાનું આગમન થયું. સિદ્ધિવિનાયક મંદિર જેવી આબેહૂબ સજાવટ પણ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી... 'પર્યાવરણ સુરક્ષા તરફ એક પગલું' એ હેતુથી આ સજાવટ કરાઈ છે. સોસાયટીના દરેક સભ્યોએ આમાં સહકાર આપ્યો છે. 'સબ કા સાથ તો, ત્યોહાર બને ખાસ' એ વાત સાકાર કરી છે. બાપાના છપ્પન ભોગ ,પૂજા અર્ચના અને આરાધના ભક્તિપૂર્વક કરાય છે. આવો પધારો અને બાપ્પાને વધાવો...