મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત હજી અલી દરગાહની અદભુત તસવીરો કૅમેરામાં કેદ થઈ હતી. અહીં ઘણા ભક્તો સંત પીર હાજી શાહ બુખારીની કબરને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે. (તસવીરો: આશિષ રાણે)
બૉલિવૂડ ઍક્ટર સલમાન ખાનની આગામી ફિલ્મ ‘‘સિકંદર’’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતી. આ સ્ક્રિનિંગમાં હાજરી આપવા માટે ભાઈજાનનો આખો પરિવાર એક છત નીચે ભેગો થયો હતો. એઆર મુરુગદાસ દ્વારા ડિરેક્ટર કરવામાં આવેલી આ ઍક્શન એન્ટરટેઈનર ફિલ્મ 30 માર્ચે રિલીઝ થવાની છે.
International Day of Happiness 2025: રાજકુમાર હિરીણી, ભારતીય સિનેમાના મોટા ફિલ્મમેકર, પોતાની ફિલ્મો દ્વારા માત્ર મનોરંજન જ નહીં, પણ જીવન જીવવાના મૂળભૂત હેતુ વિશે પણ મેસેજ આપતા હોય છે. તેમની ફિલ્મો આનંદ અને ઊંડા જીવનના સંદેશાઓથી ભરપૂર હોય છે, જે આપણને મુશ્કેલીમાં પણ આનંદમાં રહેવાનો અને સકારાત્મક રહેવાનો મંત્ર આપે છે. આ આંતરરાષ્ટ્રીય આનંદમયી દિવસે આજે જાણો એવી ફિલ્મોના કેટલાક ખાસ ડાયલૉગ્સ જેમણે આપણને આનંદનો ખરો અર્થ સમજાવ્યો છે.
ભારતના સ્ટાર ક્રિકેટેર હાર્દિક પંડ્યા તેના પ્રદર્શન સાથે તેની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ જ ચર્ચામાં હોય છે. નતાશા સ્ટેન્કૉવિક સાથે ડિવોર્સ થયા બાદ હાર્દિક કોને ડેટ કરી રહ્યો છે, એવી ચર્ચાઓ ખૂબ જ જોરદાર ચાલી રહી હતી. આ ચર્ચાઓમાં એક નામ સામે આવ્યું હતું, જે છે જાસ્મિન વાલિયા. જાસ્મિન વાલિયા બ્રિટિશ સિંગર અને ટેલિવિઝન સેલિબ્રિટિ છે. જાસ્મિન અને હાર્દિક બન્ને ડેટ કરી રહ્યા હોવાની પણ ચર્ચા છે. તો ચાલો જાણીએ કોણ છે જાસ્મિન વાલિયા. (તસવીરો: સેલેબ્સ સોશિયલ મીડિયા)
ફિલ્મમેકર ફ્રેન્ડ અયાન મુખરજીના પિતાના અવસાનને પગલે રણબીર કપૂર અલીબાગની ટ્રિપ ટૂંકાવીને તાબડતોબ મુંબઈ પરત ફર્યો
ફિલ્મમેકર અયાન મુખરજીના પિતા અને ઍક્ટર દેબ મુખરજીનું ગઈ કાલે ૮૩ વર્ષની ઉંમરે વધતી વયને કારણે થયેલી બીમારીઓને પગલે મુંબઈમાં અવસાન થયું હતું અને શુક્રવારે સાંજે જ મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર જુહુના પવનહંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. દેબ મુખરજીનો જન્મ ૧૯૪૧માં કાનપુરમાં થયો હતો. તેઓ શરૂઆતથી જ ફિલ્મી પરિવાર સાથે સંકળાયેલા હતા. દેબ મુખરજીના ભાઈ જૉય મુખરજી ઍક્ટર હતા અને શોમુ મુખરજી ફિલ્મ-ડિરેક્ટર હતા.
દેબ મુખરજી ફિલ્મ-ડિરેક્ટર અયાન મુખરજીના પિતા અને ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરના સસરા હતા. દેબ મુખરજીનાં પહેલાં લગ્નથી તેમને સુનીતા નામની દીકરી હતી જેણે આશુતોષ ગોવારીકર સાથે લગ્ન કર્યાં છે. દેબ મુખરજી કાજોલ અને રાની મુખરજીના કાકા હતા.
દેબ મુખરજીનો પરિવાર બૉલીવુડ સાથે સંકળાયેલો છે જેને કારણે તેમના અંતિમ સંસ્કારમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. અયાન મુખરજીનો ખાસ મિત્ર રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટની આજની બત્રીસમી ૩૨મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરવા માટે અલીબાગ ગયો હતો, પરંતુ તે પણ આ ટ્રિપ ટૂંકાવીને તરત જ મુંબઈ પરત ફર્યો હતો. રણબીરે અંતિમ સંસ્કારમાં દેબ મુખરજીના પાર્થિવ શરીરને ખભે ઊંચકીને અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો.
બૉલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ તેમના પહેલા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. આ દંપતીએ નવેમ્બર 2024 માં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી અને લખ્યું હતું કે, "આપણા સુંદર આશીર્વાદ ટૂંક સમયમાં આવી રહ્યા છે. 2025." તેમણે નાના બાળકના પગના ઇમોજી સાથે ખાસ પોસ્ટ મૂકી હતી. તે પછી હવે તેમણે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે, જેની કેટલીક તસવીરો તેમણે પોસ્ટ કરી હતી. (તસવીરો: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ઇન્સ્ટાગ્રામ)
ક્રિકેટના મેદાન પર ચોગ્ગા-છગ્ગાની આતશબાજી કરતા ક્રિકેટર્સ ગઈ કાલે ધુળેટીના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી ફાઇનલિસ્ટ ટીમ ઇન્ડિયા માસ્ટર્સના કૅપ્ટન સચિન તેન્ડુલકરે ગઈ કાલે યુવરાજ સિંહ સહિતના સાથી પ્લેયર્સ સાથે ધુળેટીનો આનંદ માણ્યો હતો. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્લેઑફ મૅચ માટે મુંબઈની તાજ હોટેલમાં રોકાયેલી ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કૅપિટલ્સના તમામ પ્લેયર્સે પણ આ તહેવારને ઉત્સાહ સાથે ઊજવ્યો હતો.
IPL 2025ની તૈયારી માટે પ્રી-સીઝન કૅમ્પમાં જોડાયેલા મોટા ભાગના ફ્રૅન્ચાઇઝીના પ્લેયર્સે એકબીજાને રંગીને મજાક-મશ્કરી કરી હતી. લખનઉ સુપર જાયન્ટ્સના કોચ જસ્ટિન લૅન્ગર જેવા કોચિંગ સ્ટાફના સભ્યો પણ અનોખો લુક બનાવીને બૉલીવુડનાં ગીતો પર ઝૂમ્યા હતા. લખનઉનો કૅપ્ટન રિષભ પંત આ તહેવારના અવસર પર પહેલી વાર વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન સહિતના સાથી પ્લેયર્સને મળ્યો હતો. દેશી-વિદેશી પ્લેયર્સના આ ધુળેટીના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા.
આ વર્ષે હોળી એક જોવાલાયક દૃશ્ય બની ગયું, જ્યાં વિશ્વભરના ક્રિકેટરો રાષ્ટ્રીયતા અને સમુદાયોથી આગળ વધીને, રંગોના તહેવારનો આનંદ માણી રહ્યા હતા. (તસવીર સૌજન્ય: મિડ-ડે)
મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત હજી અલી દરગાહની અદભુત તસવીરો કૅમેરામાં કેદ થઈ હતી. અહીં ઘણા ભક્તો સંત પીર હાજી શાહ બુખારીની કબરને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે. (તસવીરો: આશિષ રાણે)20 March, 2025 09:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત.
અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘કૂર્માસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો
20 March, 2025 01:07 IST | Mumbai | Shilpa Bhanushali
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK