
તાજેતરમાં જ બોટાદમાં આવેલા સ્માઇલ ગ્રુપ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં લેતાં અબોલ પક્ષી ચકલીઓને રાહત મળે તેવા ઉમદા હેતુથી ત્રણ હજાર જેટલા માટીનાં કૂંડા અને માળાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ઘણા લોકોએ આ વિતરણવ્યવસ્થાનો બહોળા પ્રમાણમાં લાભ લીધો. આ ગૃપ દ્વારા અબોલ જીવની સેવા સાથે પયાર્વરણ બચાવો, રોપા વિતરણ, ગરીબ બાળકોને શિક્ષણ કીટ તથા તહેવારોમાં મીઠાઈ વિતરણ કરી એમનાં ચહેરા પર સ્માઈલ લાવવાનો પ્રયાસ વર્ષ ૨૦૧૮થી કરવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર સેવાકીય પ્રવૃતિનું આયોજન સમગ્ર ગૃપ દ્વારા દર વર્ષે ખૂબ ઉત્સાહથી કરવામાં આવે છે.