શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) દ્વારા મુલુંડ ખાતે સ્થપાયેલ નવા સ્પિરિચ્યુઅલ સેન્ટરનું ઉદ્ઘાટન પૂજ્ય ગુરુદેવ રાકેશજીના કરકમળેના હસ્તે સંપન્ન થયું. રૂનવાલ એન્થુરિયમ, એલબીએસ માર્ગ, મુલુંડ પશ્ચિમ ખાતે સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર મુલુંડ સ્પિરિચ્યુઅલ સેન્ટર શહેર માટે આધ્યાત્મિક જ્ઞાન અને આંતરિક જાગૃતિનું દીપસ્તંભ બનશે, જે મનન, અધ્યયન અને આત્મવિકાસ માટે સમર્પિત સ્થાન બની રહેશે. વિશ્વભરમાં 206 થી વધુ કેન્દ્રો સાથે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર આધુનિક જીવનની વ્યસ્તતા વચ્ચે આધ્યાત્મિકતા (Spirituality) ને સહેલું અને સુલભ બનાવવાની પોતાની દ્રષ્ટિને સતત આગળ ધપાવી રહ્યું છે.
06 February, 2026 08:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent