જ્યાં જગન્નાથ ભગવાનને ચડાવાયેલાં સોનાચાંદીનાં ઘરેણાં, દુર્લભ એવાં હીરામાણેક અને ઝવેરાતનો ખજાનો પડ્યો છે એની ચાવીઓ ગાયબ થઈ ગઈ છે અને ત્યાં કેટલો ખજાનો પડ્યો છે એનું છેલ્લા ચાર દાયકામાં કોઈ ઑડિટ પણ નથી થયું.
મૂર્તિઓ
હમણાં આપણો દેશ લોકશાહીનું પર્વ ઊજવી રહ્યો છે. દેશની સામાન્ય ચૂંટણી કુલ સાત ચરણોમાં થશે એવું ચૂંટણીપંચ દ્વારા નક્કી કરવામાં આવ્યું અને ગઈ કાલે એનું છઠ્ઠું ચરણ સંપન્ન પણ થઈ ગયું. આ છઠ્ઠા ચરણમાં જ ઓડિશા રાજ્યમાં પણ ચૂંટણી હતી. હવે આવનારા શનિવારે આ ચૂંટણી મહાપર્વના છેલ્લા ચરણનું મતદાન થશે અને ૪ જૂને તો ચૂંટણી-પરિણામો પણ આવી ગયાં હશે. આ સાતેય ચરણો દરમિયાન દેશની સામાન્ય જનતાને પોતાની તરફ કરી લેવાના પ્રયાસરૂપે દરેક પક્ષ અને નેતાઓ ચૂંટણીપ્રચાર કે જાહેર રૅલીઓમાં અનેક મુદ્દાઓ લઈ આવે છે જેમાનાં કેટલાક સાવ હસવું આવે એવા હોય તો કેટલાક સાચે જ ચર્ચા કરવા યોગ્ય જણાય એવા મુદ્દાઓ પણ હોય છે. જેમ કે છઠ્ઠા ચરણના ચૂંટણીપ્રચાર દરમિયાન દેશના હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથપુરીના શ્રી મંદિરના રત્નભંડાર વિશેની વાતો એક રૅલીમાં ઉઠાવી હતી. મુદ્દો ખરેખર જ વિચાર માગી લે એવો છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર કહી શકાય એવું જગન્નાથપુરીનું મંદિર અને ત્યાં ભક્તો દ્વારા રોજેરોજ ચડાવવામાં આવતી અનેકાનેક અમૂલ્ય ભેટોને સાચવતા રત્નભંડારની વાત છે. એવું તો કઈ રીતે બની શકે કે ભેટો જ્યાં સચવાતી હતી એ રત્નભંડારની ચાવીઓ જ ખોવાઈ જાય? અને ધારો કે ખોવાઈ પણ ગઈ હોય તો શું એ માટે કોઈની જવાબદેહી બનતી જ નથી? આ વિશે તો થોડી વિગતે ચર્ચા કરવી જ રહી.
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)