ડૉક્ટરે તેની ટ્રીટમેન્ટ કરી હતી અને ત્યાર બાદ તેને ડિસ્ચાર્જ આપ્યો હતો
તસવીરઃ જનક પટેલ
શાહરુખ ખાનને ડીહાઇડ્રેશનને કારણે અમદાવાદમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની પ્લે-ઑફ મૅચ માટે શાહરુખ બે દિવસ માટે અમદાવાદ આવ્યો હતો. મૅચ પૂરી થયા બાદ શાહરુખ ITC નર્મદા હોટેલમાં રોકાયો હતો. એ જ હોટેલમાં તેની ટીમ પણ રોકાઈ હતી. શાહરુખની ટીમ મૅચ જીતી હોવાથી હોટેલમાં તેમનું ગ્રૅન્ડ વેલકમ પણ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
જોકે અમદાવાદમાં ૪૫ ડિગ્રી ટેમ્પરેચર હતું અને શાહરુખને ગરમી લાગી ગઈ હતી. ગરમીને કારણે ગઈ કાલે તેને ડીહાઇડ્રેશન થઈ ગયું હોવાથી બપોરે એક વાગ્યાની આસપાસ કુસુમ ધીરજલાલાલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરે તેની ટ્રીટમેન્ટ કરી હતી અને ત્યાર બાદ તેને ડિસ્ચાર્જ આપ્યો હતો.તેની તબિયત હવે સારી છે અને ડૉક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી છે. હીટવેવને કારણે અમદાવાદમાં રેડ અલર્ટ પણ જાહેર કરવામાં આવી હતી.