બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાળ-વાશિમ, હિંગોલી, નાંદેડ અને પરભણીમાંથી ત્રણ બેઠક પર એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેનો મુકાબલો
ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે
આજે મહારાષ્ટ્રની બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાળ-વાશિમ, હિંગોલી, નાંદેડ અને પરભણી લોકસભા બેઠક પર મતદાન હાથ ધરવામાં આવશે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં આ બેઠકો પર સરેરાશ અનુક્રમે ૬૨.૦૮ અને ૬૨.૮૬ ટકા મતદાન થયું હતું.