Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં ગડચિરોલીના ગામવાસીઓએ બ્લૅક મૅજિકની શંકામાં બેને જીવતા સળગાવ્યા

મહારાષ્ટ્રમાં ગડચિરોલીના ગામવાસીઓએ બ્લૅક મૅજિકની શંકામાં બેને જીવતા સળગાવ્યા

05 May, 2024 09:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બનાવમાં પોલીસે મરનાર મહિલાના પતિ અને પુત્ર સહિત ૧૫ ગામવાસીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લાના એટાપલ્લી તાલુકાના બરસેવાડા ગામમાં બ્લૅક મૅજિક કરવાની શંકામાં એક મહિલા અને એક પુરુષને જીવતાં સળગાવી દેવાની ચોંકાવનારી ઘટના બની છે. આ બનાવમાં પોલીસે મરનાર મહિલાના પતિ અને પુત્ર સહિત ૧૫ ગામવાસીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આદિવાસીઓના આ ગામની પહેલી મેની આ ઘટનામાં ગામવાસીઓએ પહેલાં જામની તેલામી નામની મહિલા અને દેશુ અટલામી નામના પુરુષને તેમના ઘરમાંથી ખેંચી કાઢ્યાં હતાં અને બન્નેની ત્રણ કલાક સુધી મારપીટ કરવામાં આવી હતી. બાદમાં તેમને જીવતાં સળગાવી દીધાં હતાં. એ પછી ગામવાસીઓએ બન્નેના અડધા સળગેલા મૃતદેહ નાળામાં ફેંકી દીધા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે મરનારાઓએ જાદુટોણા કરીને આરોહી નામની ત્રણ વર્ષની એક બાળકીને મારી નાખી હોવાની શંકા જતાં પંચાયત બોલાવવામાં આવી હતી. પંચાયતમાં જેમના પર જાદુટોણાની શંકા હતી તેમને મોતની સજા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આથી બુધવારે સાંજે ૬ વાગ્યે ગામવાસીઓએ ખૂબ જ ક્રૂરતાથી આ હત્યા કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK