Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેનું બ્રેકઅપ થયું? જાણો શું છે હકીકત

આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેનું બ્રેકઅપ થયું? જાણો શું છે હકીકત

05 May, 2024 03:08 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેનું લગભગ એક મહિના પહેલાં બ્રેકઅપ થયું હતું. તેમના બ્રેકઅપના સમાચારે તેમના મિત્રોને પણ ચોંકાવી દીધા છે. બંને સ્ટાર્સના નજીકના મિત્રએ તાજેતરમાં પુષ્ટિ કરી હતી

અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર

અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર


Ananya Panday And Aditya Roy Kapur Break Up: બૉલીવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેનું લગભગ એક મહિના પહેલાં બ્રેકઅપ થયું હતું. તેમના બ્રેકઅપના સમાચારે તેમના મિત્રોને પણ ચોંકાવી દીધા છે. બંને સ્ટાર્સના નજીકના મિત્રએ તાજેતરમાં પુષ્ટિ કરી હતી કે તેઓ એક મહિના પહેલાં જ અલગ થઈ ગયા હતા.

વાતચીત દરમિયાન આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur) અને અનન્યા પાંડે (Ananya Panday)ના મિત્રએ એક મીડિયા હાઉસને જણાવ્યું કે, “લગભગ એક મહિના પહેલા તેમનું બ્રેકઅપ થયું હતું. તેઓ ખૂબ સારી રીતે મળી રહ્યા હતા અને બ્રેકઅપ અમારા બધા માટે આઘાત સમાન હતું. તેઓ એકબીજા માટે ખૂબ જ સરસ છે. અનન્યા આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે, હવે તે ચોક્કસપણે દુઃખી છે. તે તેના નવા મિત્ર સાથે સમય વિતાવી રહી છે. આદિત્ય પણ પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.”



તેણે તેની પોસ્ટમાં લખ્યું કે, “જો તે ખરેખર તમારા માટે છે, તો તે તમારી પાસે ફરી આવશે. આ ફક્ત તમને પાઠ ભણાવવા માટે જ જશે જે તમે ફક્ત તમારી જાતે જ શીખી શકો છો. જો તે ખરેખર તમારા માટે છે, તો તે પાછું આવશે, ભલે તમે તેને દૂર ધકેલી દીધું હોય, ભલે તમે તેનો અસ્વીકાર કરો, ભલે તમે માનતા હોવ કે આટલી સુંદર વસ્તુ ક્યારેય તમારી હોઈ શકે નહીં.”


ઉલ્લેખનીય છે કે, અનન્યા અને આદિત્ય લગભગ 2 વર્ષથી રિલેશનશીપમાં હતા, પરંતુ ગયા મહિને અનન્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેના પછી તેમના બ્રેકઅપની અફવાઓ ફેલાઈ હતી.

આદિત્ય હવે માત્ર ફ્રેન્ડ નથી રહ્યો


અગાઉ એક વાર અનન્યાએ આ વિશે ટિપ્પણી કરી હતી. અનન્યાએ આડકતરી રીતે તેમના રિલેશન પર મહોર મારી હોય એવું લાગી રહ્યું છે. તેણે જણાવ્યું કે અમે હવે માત્ર ફ્રેન્ડ્સ નથી રહ્યાં. આ વાત તેણે નેહા ધુપિયાના ટૉક-શો ‘નો ફિલ્ટર નેહા’માં કરી છે. શોમાં નેહા કહે છે, ‘ક્રિતી સૅનનની દિવાલી-પાર્ટીમાં મેં ફોટો ક્લિક કર્યા અને લોકો ઝૂમ કરવા માંડ્યા હતા, કારણ કે તું અને આદિત્ય વાતો કરી રહ્યાં હતાં. એ વિશે શું તું કાંઈ કહેવા માગે છે?’ ત્યારે અનન્યા કહે છે, ‘નેહા, મેં કદી નથી કહ્યું કે અમે ફ્રેન્ડ્સ છીએ. આ તો તું કહે છે. અમે ગુડ ફ્રેન્ડ્સ છીએ. હવે અમે માત્ર ફ્રેન્ડ્સ નથી રહ્યાં. મને નથી લાગતું કે એના પર વધારે ચર્ચા કરવાની જરૂર છે.”

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK