દિલજિત દોસંજ કેમ વધુ ફિલ્મ સાઇન નથી કરતો?
દિલજિત દોસંજ
દિલજિત દોસંજને બૉલીવુડમાં ત્રણ વર્ષ થયા છે, પરંતુ તે વધુ ફિલ્મ કરવાનું પસંદ નથી કરતો. તેણે ૨૦૧૬માં આવેલી ‘ઉડતાં પંજાબ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે ‘ફિલ્લોરી’, ‘વેલકમ ટુ ન્યુ યૉર્ક’ અને ‘સૂર્મા’ કરી હતી. તેની છેલ્લી ફિલ્મ ક્રિતી સૅનન સાથેની ‘અર્જુન પટિયાલા’ હતી. તેની આગામી ફિલ્મ અક્ષયકુમાર, કરીના કપૂર ખાન અને કિયારા અડવાણી સાથેની ‘ગૂડ ન્યુઝ’ છે.
આ પણ વાંચો : Viral Video: વરસાદમાં સાયકલ પર નીકળ્યા સલમાન ખાન, ચાહકોએ લીધી મજા
ADVERTISEMENT
તે કેમ ઓછી ફિલ્મોમાં જોવા મળે છે એ વિશે પૂછતાં દિલજિતે કહ્યું હતું કે ‘એવું નથી કે હું ફક્ત સારી ફિલ્મો જ પસંદ કરું છું. મને ઘણી ફિલ્મોની ઑફર આવે છે, પરંતુ હું એ બધી પસંદ નથી કરી શકતો કારણ કે એમાની ઘણી મને સૂટ નથી થતી. ફિલ્મ સારી હોય, ડિરેક્ટર મોટો હોય, પ્રોડ્યુસર અને પ્રોડક્શન હાઉસ પણ મોટું હોય તો પણ હું એ ફિલ્મ પસંદ નથી કરતો કારણ કે મને પાત્ર સૂટ થવું જરૂરી છે.’