જ્યારે ‘કાગઝ કે ફૂલ’ને ગુરુ દત્ત જેવા સિદ્ધહસ્ત ફિલ્મમેકરનો સ્પર્શ મળ્યો હતો. તો પછી ફિલ્મની સરિયામ નિષ્ફળતાનું કારણ શું હતું?
વો જબ યાદ આએ
દેખી ઝમાને કી યારી, બિછડે સભી બારી બારી.
કૉન્ફિડન્સ અને ઓવર-કૉન્ફિડન્સ વચ્ચે પાતળી ભેદરેખા છે, પરંતુ બન્નેનાં પરિણામ વચ્ચે મોટો ફરક છે. ટાઇટૅનિકને એના નિર્માણ બાદ ટૅગ આપવામાં આવ્યો હતો, ‘The Unsinkable Ship.’ પહેલી જ સફરમાં એના શું હાલ થયા એ સૌ જાણે છે. આત્મવિશ્વાસ સફળતા માટે જરૂરી છે, પરંતુ અતિવિશ્વાસ ઘણી વાર નિષ્ફળતા તરફ લઈ જાય છે. અતિવિશ્વાસનું સૂક્ષ્મ કારણ છે બેદરકારી અને અહંકાર. અફસોસ કે એની જાણ થાય ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે.