India vs England, 1st Test: ભારતીય ટીમ પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી હારી ગઈ છે; જોકે હાર બાદ પણ હેડ કોચ ગૌતમ ગંભીરે ટીમ અને કૅપ્ટન શુભમન ગિલનો સાથ આપ્યો છે
ગૌતમ ગંભીર (ડાબે), લિડ્સમાં ભારતીય ટીમ (તસવીર સૌજન્યઃ એએફપી, એપી)
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ને હેડિંગ્લી (Headingley) ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ (India vs England, 1st Test) મેચમાં ઇંગ્લેન્ડ (England) સામે હારનો સામનો કરવો પડ્યો છે. શાનદાર પ્રદર્શન છતાં, ભારત (India)ને ૫ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચના પાંચમા દિવસે ઇંગ્લેન્ડે ૩૭૧ રનના મોટા લક્ષ્યનો પીછો કર્યો હતો. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં ૪૭૧ અને બીજા ઇનિંગમાં ૩૬૪ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં ૪૬૫ રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે ૪ ખેલાડીઓએ સદી ફટકારી હતી. પરંતુ, આ ટીમને મેચ જીતવા માટે પૂરતું ન હતું. મેચ સમાપ્ત થયા પછી, ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir)એ એક મોટું નિવેદન આપ્યું છે.
ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા પછી, ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ ક્રિકેટ (Test Cricket)માં સારું પ્રદર્શન કરી શકી નથી, ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. ટીમ ઇન્ડિયાનો છેલ્લી ટેસ્ટમાં આ ૭મો પરાજય છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્સ (Leeds)માં રમાયેલી આ ટેસ્ટમાં, ટોચના ક્રમના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જોકે નબળી ફિલ્ડિંગ, બોલિંગ અને નીચલા ક્રમના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન આ હારનું કારણ બન્યું. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ (Gautam Gambhir post-match press conference)માં હેડ કોચ ગૌતમ ગંભીરે પોતે ટીમ અને કૅપ્ટન શુભમન ગિલ (Shubman Gill)નો બચાવ કર્તો હતો.
ADVERTISEMENT
ટીમની હાર વિશે શું કહ્યું?
ગૌતમ ગંભીરે ભારતીય ટીમની હાર વિશે વાત કરતા કહ્યું, `સહુપ્રથમ, હું તમને કહી દઉં કે એવું નથી કે તેઓ પ્રયાસ કરી રહ્યા ન હતા. હકીકતમાં, ભારતના ૮ થી ૧૧ નંબરના ખેલાડીઓએ બંને ઇનિંગ્સમાં સંયુક્ત રીતે ફક્ત ૯ રન બનાવ્યા. ક્યારેક લોકો નિષ્ફળ જાય છે અને તે ઠીક છે. હું જાણું છું કે તે નિરાશાજનક છે અને વધુ અગત્યનું એ છે કે તેઓ બીજા કોઈપણ કરતા વધુ નિરાશ છે. કારણ કે તેઓ જાણતા હતા કે અમારી પાસે તક છે. જો અમે પ્રથમ ઇનિંગ્સમાં ૫૭૦-૫૮૦ રન બનાવ્યા હોત, તો અમે ત્યાંથી પ્રભુત્વ મેળવી શક્યા હોત.`
નીચલા ક્રમનો કર્યો બચાવ
આગળ કહ્યું, ‘એવું નથી કે તેઓ નેટમાં સખત મહેનત કરી રહ્યા નથી. ક્યારેક આવી ઘટનાઓ બને છે, સારા બેટ્સમેન પણ નિષ્ફળ જાય છે. તેથી આશા છે કે તેઓ શીખ્યા હશે અને આશા છે કે આપણા નીચલા ક્રમના બેટ્સમેન વધુ સારું પ્રદર્શન કરશે. સાચું કહું તો, આ એકમાત્ર કારણ નહોતું કે આપણે ટેસ્ટ મેચ હારી ગયા. બીજા ઘણા પ્રસંગો હતા જ્યાં આપણે ટેસ્ટ મેચ જીતી શક્યા હોત. હું અહીં બેસીને એમ નહીં કહું કે `તે નીચલા ક્રમના કારણે થયું` અથવા `નીચલા ક્રમનું યોગદાન ન હતું` અથવા `૮, ૯, ૧૦, ૧૧યોગદાન ન આપી શક્યા`. બસ આપણે સાથે હારીએ છીએ અને સાથે જીતીએ છીએ.’
અનુભવના અભાવને સ્વીકાર્યો
પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું, ‘જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સિવાય, ભારતીય ફાસ્ટ બોલરો પાસે બહુ અનુભવ નથી. પ્રસિદ્ધ કૃષ્ણ ૪ ટેસ્ટ રમ્યા છે, હર્ષિત રાણા ૨ ટેસ્ટ રમ્યા છે અને અર્શદીપ સિંહે હજુ સુધી એક પણ ટેસ્ટ રમી નથી. ODIમાં કોઈ ફરક પડતો નથી પણ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં, તે તેમને દરિયામાં ફેંકી દેવા જેવું છે. જો આપણે દરેક ટેસ્ટ પછી તેમનો ન્યાય કરીશું, તો આપણે તેમને કેવી રીતે શીખવા દઈશું?’
પ્રસિદ્ધ કૃષ્ણાએ બંને ઇનિંગ્સમાં ૫ વિકેટ લીધી હશે, પરંતુ તેણે ઘણા રન પણ આપ્યા. બંને ઇનિંગ્સમાં, તેણે છથી વધુ ઇકોનોમી દરે રન આપ્યા. ગૌતમ ગંભીરે તેનો બચાવ કરતા કહ્યું, ‘મને લાગ્યું કે પ્રસિદ્ધ ખૂબ જ સારો બોલર હતો, તેણે ખરેખર સારી બોલિંગ કરી. તેણે મહત્વપૂર્ણ વિકેટો પણ લીધી. અમે તેને પસંદ કર્યો કારણ કે અમને લાગ્યું કે તેનામાં કંઈક અલગ છે, તેને બાઉન્સ મળે છે. પ્રથમ ઇનિંગ્સમાં, તેણે બાઉન્સનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો. તે અનુભવ સાથે વધુ સારો બનશે. તેનામાં એક સારો ટેસ્ટ બોલર બનવા માટેના બધા ગુણો છે. શાર્દુલ ઠાકુરનો ઉપયોગ થોડો ઓછો થયો, તેણે અમને બે મહત્વપૂર્ણ વિકેટો અપાવી.’
ફિલ્ડિંગનો કર્યો બચાવ
આ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે એકલાએ જ ૪ કેચ છોડ્યા હતા, જે હારનું કારણ બન્યું. ફિલ્ડિંગનું સ્તર ખૂબ જ ખરાબ હતું. આ અંગે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરો પણ કેચ છોડતા નથી. કોઈ જાણી જોઈને કેચ છોડતું નથી. બેટિંગની દ્રષ્ટિએ તે નિરાશાજનક હતું કારણ કે અમે પહેલી ઇનિંગમાં ૪૧ રનમાં ૭ વિકેટ અને બીજી ઇનિંગમાં ૩૧ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. અમારી પાસે પહેલી ઇનિંગમાં લગભગ ૬૦૦ રન બનાવવાની તક હતી. પરંતુ આ વસ્તુઓ બનતી રહે છે. આશા છે કે અમે બીજી ટેસ્ટ મેચમાં કંઈક શીખી શકીશું.’
ગંભીરે શુભમન ગિલના કોચિંગ વિશે કરી વાત
ગૌતમ ગંભીરે શુભમન ગિલ વિશે કહ્યું કે તેને કેપ્ટન તરીકે સમય આપવો જોઈએ. મુખ્ય કોચે ગિલની બેટિંગની પણ પ્રશંસા કરી, જેણે પહેલી ઇનિંગમાં સદી ફટકારી હતી. જોકે, તેણે પછી કહ્યું કે ભલે તે યુવા ટીમ હોય કે અનુભવી, દરેક હાર ખરાબ છે. તેણે કહ્યું, ‘દરેક હાર ખરાબ છે, ટીમ અનુભવી હોય કે યુવાન હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. હાર માટે કોઈ બહાનું નથી કારણ કે અમે ૧૪૦ કરોડ ભારતીય લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ.’
નોંધનીય છે કે, ભારત હવે બીજી ટેસ્ટમાં ઘણું વિચારશે, ફક્ત રણનીતિની દ્રષ્ટિએ જ નહીં પણ સ્વભાવની દ્રષ્ટિએ પણ. લક્ષ્યનો પીછો કરવામાં ઇંગ્લેન્ડનો હાથ ભલે ઉપર હોય, પરંતુ પ્રશ્ન હવે સંપૂર્ણપણે ભારતના પક્ષમાં છે. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી ટેસ્ટ મેચ (India vs England, 2nd Test) જુલાઈમાં રમાશે. બીજી જુલાઈથી શરુ થનારી બીજી ટેસ્ટ મેચ બર્મિંગહામ (Birmingham)ના એજબેસ્ટન (Edgbaston) સ્ટેડિયમમાં રમાશે.


