India vs England, 1st Test: જસપ્રીત બુમરાહે લીડ્સ ટેસ્ટમાં પાંચ વિકેટ લઈને જોરદાર વાપસી કરી; ઈજા બાદ ટીમમાં પાછા ફરેલા બુમરાહે ટીકાકારોને જવાબ આપતા કહ્યું કે, ‘તે બાહ્ય બાબતો પર ધ્યાન આપતો નથી’
જસપ્રીત બુમરાહની ફાઇલ તસવીર
લીડ્સ (Leeds)માં ઇંગ્લેન્ડ (England) સામેની પહેલી ટેસ્ટ (India vs England, 1st Test)માં પાંચ વિકેટ લઈને, ભારતીય (India) બૉલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)એ ફરી એકવાર બધાને જણાવી દીધું છે કે, તેને હાલમાં વિશ્વનો શ્રેષ્ટ નંબર વન બોલર કેમ કહેવામાં આવે છે. જસપ્રીત બુમરાહનું ટેસ્ટ મેચમાં પ્રદર્શન ટીકાકારોને જડબાતોડ જવાબ છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જસપ્રીત બુમરાહની ફિટનેસ પર ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. ઓસ્ટ્રેલિયા (Australia) પ્રવાસમાં ઈજાગ્રસ્ત થયા બાદ, તે થોડા સમય માટે ક્રિકેટથી દૂર રહ્યો અને ઇન્ડિયન પ્રિમિયર લીગ ૨૦૨૫ (IPL 2025) દ્વારા ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો. ઈજાગ્રસ્ત થયા બાદ બુમરાહની ઘણી ટીકા થઈ હતી. એવું કહેવામાં આવતું હતું કે હવે તેના માટે વાપસી કરવી મુશ્કેલ છે, પરંતુ આ બોલરે માત્ર વાપસી જ નહીં પરંતુ ઈંગ્લેન્ડ સામે પોતાના પંજા પણ ખોલ્યા અને રેકોર્ડ તોડ્યા.
ADVERTISEMENT
ઇંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી અને ૮૩ રન આપીને ૫ વિકેટ લીધી. બુમરાહ સામે ઇંગ્લેન્ડના બેટ્સમેન લાચાર હતા, બુમરાહે ૨૪.૪ ઓવરમાં ૮૩ રન આપીને ૫ વિકેટ લીધી. બુમરાહની બોલિંગને કારણે જ ભારતીય ટીમ (Indian Cricket Team)ને ૬ રનની લીડ મળી. ઇંગ્લેન્ડનો દાવ પહેલા જ સમાપ્ત થઈ ગયો હોત પરંતુ ફિલ્ડરોએ ઘણા કેચ છોડ્યા જેના કારણે ઇંગ્લેન્ડની ટીમ ભારતના સ્કોરની નજીક પહોંચી શકી. ભલે ભારતને પહેલી ઇનિંગમાં માત્ર ૬ રનની લીડ મળી હોય, બુમરાહે પોતાની ખતરનાક બોલિંગથી સાબિત કર્યું કે તેને વિશ્વનો સૌથી મહાન બોલર કેમ માનવામાં આવે છે.
ત્રીજા દિવસ (India vs England - 1st Test, Day 3)ની રમત સમાપ્ત થયા પછી, જસપ્રીત બુમરાહે એક મોટું નિવેદન આપ્યું જેનાથી ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. બુમરાહે એવા લોકોને સખત ઠપકો આપ્યો છે જેઓ હંમેશા કહેતા હતા કે તેની કારકિર્દી લાંબો સમય ચાલશે નહીં. મેચ પછી પ્રેસ સાથે વાત કરતા, બુમરાહે કહ્યું, ‘લોકો ઘણા વર્ષોથી કહેતા આવ્યા છે, કેટલાકે કહ્યું, હું ફક્ત આઠ મહિના રમીશ, કેટલાકે કહ્યું દસ મહિના પણ હવે હું ૧૦ વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ૧૨-૧૩ વર્ષ IPL રમી ચૂક્યો છું. અત્યારે પણ લોકો કહે છે (દરેક ઈજા પછી), હું ખતમ થઈ જઈશ, હું ગયો છું. તેમને કહેવા દો, હું મારું પોતાનું કામ કરીશ...આ બાબતો દર ચાર મહિને સામે આવશે, પરંતુ જ્યાં સુધી ભગવાન ઈચ્છે છે, હું રમીશ, હું મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશ, અને પછી હું ભગવાન પર છોડી દઉં છું કે તે મને કેટલા વધુ આશીર્વાદ આપે છે.’
ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં ૮૩ રન આપીને ૫ વિકેટ લેનાર બુમરાહે કહ્યું, ‘હેડલાઇન્સમાં મારું નામ જોઈને ફેન્સ આકર્ષાય છે, પરંતુ મને તેનાથી કોઈ સમસ્યા નથી. વિકેટ બેટિંગ માટે સારી છે, જોકે મેચના અંતે તે થોડી તૂટી શકે છે. હાલમાં તે બેટિંગ માટે ખૂબ જ સારી વિકેટ છે. તે થોડી બે બાજુવાળી છે, વિકેટમાં કોઈ મોટી સમસ્યા નથી, હવામાનને કારણે, નવો બોલ સ્વિંગ થશે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તમે આની અપેક્ષા રાખો છો, અમે મોટો સ્કોર કરવા અને તે એક સારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માંગીએ છીએ.’
જસપ્રીત બુમરાહે પહેલી ટેસ્ટમાં પાંચ વિકેટ લઈને વાપસી કરી હતી. બુમરાહે વિદેશમાં ભારત માટે ૧૨મી વખત પાંચ વિકેટ લીધી, જેનાથી તે કપિલ દેવ (Kapil Dev) સાથે આ આંકડા સુધી પહોંચનાર પ્રથમ ભારતીય બન્યો. આ ઉપરાંત, તે દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (SENA) દેશોમાં ૧૫૦ વિકેટ લેનાર પ્રથમ એશિયન બોલર પણ બન્યો છે.
બુમરાહે આગળ કહ્યું કે તેના રેન્કિંગ કે સ્ટારડમના આધારે તેના પર રાખવામાં આવતી અપેક્ષાઓ તેના માટે બોજ નથી. તેણે કહ્યું, ‘દરરોજ રાત્રે હું મારી જાતને પૂછું છું કે શું મેં મારું ૧૦૦ ટકા આપ્યું? જો હા, તો હું શાંતિથી સૂઈ જાઉં છું. મારા માટે એ મહત્વનું છે કે હું કોણ છું અને હું શું માનું છું. જો કોઈ ઇચ્છે છે કે હું કોઈ ખાસ રીતે રમું, તો હું તે પ્રકારનો વ્યક્તિ નથી. મારી તૈયારી અને વિચાર હંમેશા ભારત માટે રમવાની મારી ઇચ્છામાં મૂળ રહ્યો છે.’
તમને જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહે ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને ૨૦૧૮માં તેને રેડ બોલ ક્રિકેટમાં તક મળી. તેણે ત્રણેય ફોર્મેટમાં લગભગ ૪૫૦ વિકેટ લીધી છે.

