Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભારતમાં રસોઇયાઓને કેમ મહારાજ કહેવાય છે?

ભારતમાં રસોઇયાઓને કેમ મહારાજ કહેવાય છે?

26 May, 2024 01:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાજ શબ્દથી રસોઇયાઓને એક વ્યાવસાયિક ઓળખ પણ મળી છે.

મહારાજ

મહારાજ


ભારતમાં રસોઇયાઓને મોટા ભાગે મહારાજ કે મારાજ તરીકે સંબોધવામાં આવે છે. આ શબ્દ ક્યાંથી આવ્યો અને ક્યારથી વપરાવા લાગ્યો એ વિશે સોશ્યલ મીડિયા પર કનિકા મલ્હોત્રા નામની એક ડાયટિશ્યને રસપ્રદ માહિતી શૅર કરી હતી. મહારાજનો અર્થ રૉયલ શેફ થાય છે અને ભારતીય સંસ્કૃતિમાં પાકશાસ્ત્રમાં પારંગત હોય તેવી વ્યક્તિ માટે આ શબ્દ બહુ માનથી વાપરવામાં આવે છે.

મુઘલ સામ્રાજ્યમાં બાવર્ચી અને રકાબદારને તેમની અદ્ભુત રસોઈકળાને લીધે ખૂબ માન આપવામાં આવતું હતું. શાહી પરિવાર માટે બત્રીસ પકવાન બનાવનારા મહારાજ સતત નવા પ્રયોગો કરતા હતા. ૧૮મી અને ૧૯મી સદીમાં અવધના નવાબોએ પણ સ્વાદિષ્ટ લખનવી વાનગીઓ બનાવનારા રસોઇયાઓનો દરજ્જો વધાર્યો હતો. મહારાજ શબ્દ સ્વાદની દુનિયામાં તેમનું વિશિષ્ટ મહત્ત્વ દર્શાવે છે.



આ ઉપરાંત હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવતા ભોગ પણ નિષ્ણાતો દ્વારા તૈયાર થાય છે એટલે સાંસ્કૃતિક અને ધાર્મિક દૃષ્ટિએ રસોઇયાને મહારાજ કહેવાની પરંપરા ચાલુ રહી. મહારાજ શબ્દથી રસોઇયાઓને એક વ્યાવસાયિક ઓળખ પણ મળી છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2024 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK