Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Air India Plane Crash તપાસ અહેવાલથી સુપ્રીમ કોર્ટ નારાજ, કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ

Air India Plane Crash તપાસ અહેવાલથી સુપ્રીમ કોર્ટ નારાજ, કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ

Published : 22 September, 2025 02:08 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Air India Plane Crash: ૧૨ જૂન ૨૦૨૫ની દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટમાં વિમાન દુર્ઘટનાની સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે, કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે

પ્લેન ક્રેશની ફાઇલ તસવીર

પ્લેન ક્રેશની ફાઇલ તસવીર


૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ ગુજરાત (Gujarat)ના અમદાવાદ (Ahmedabad)માં મુસાફરોને લઈ જતું એર ઈન્ડિયા (Air India)નું વિમાન અચાનક ક્રેશ થયું હતું અને આ અકસ્માતમાં ૨૭૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાને ચાર મહિના થઈ ગયા હોવા છતા આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજી સુધી નક્કી થયું નથી. આ તપાસ ચાલુ છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના (Air India Plane Crash) અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં વિમાન દુર્ઘટનાની સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી.



સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ન્યાયાધીશ સૂર્યકાંત અને એન. કોટેશ્વર સિંહની બેન્ચે કરી હતી. સુપ્રીમ કોર્ટે વિમાન અકસ્માત તપાસ બ્યુરો (Aircraft Accident Investigation Bureau - AAIB)ની પ્રારંભિક તપાસને "બેજવાબદાર" ગણાવી હતી. વિમાન દુર્ઘટનાનું કારણ સ્પષ્ટ કરવામાં નિષ્ફળ રહેલા અહેવાલમાં પાઇલટની ભૂલની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા આ અકસ્માતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.


સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ અરજીમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના રિપોર્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, AAIBએ તેના રિપોર્ટમાં શંકા વ્યક્ત કરી હતી કે વિમાન ઇંધણના ઘટાડાને કારણે ક્રેશ થયું હતું. અરજદારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, એર ઇન્ડિયા બોઇંગ ડ્રીમલાઇનર ૧૭૧  અનુભવી પાઇલટ્સ દ્વારા ચલાવવામાં આવ્યું હતું. અકસ્માતને ૧૦૦ દિવસ થઈ ગયા છે. અત્યાર સુધી ફક્ત પ્રારંભિક અહેવાલ જ બહાર પાડવામાં આવ્યો છે. આ અહેવાલમાં પણ વિમાન દુર્ઘટનાનું કારણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બોઇંગમાં સવાર તમામ મુસાફરોના જીવ જોખમમાં છે.


પ્રશાંત ભૂષણના જણાવ્યા અનુસાર, પાંચ સભ્યોની ટીમ આ કેસની તપાસ કરી રહી છે, જેમાંથી ત્રણ DGCAના છે. વિમાન દુર્ઘટના માટે DGCA પણ જવાબદાર હોઈ શકે છે. તો, નિષ્પક્ષ તપાસ કેવી રીતે કરી શકાય?

અરજી પર સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને તેનો જવાબ માંગ્યો હતો. કોર્ટે કેન્દ્રને નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. AAIB રિપોર્ટ પર બોલતા ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, ‘માહિતી ભાગોમાં શેર કરવાને બદલે, તપાસ સંપૂર્ણપણે પૂર્ણ ન થાય અને નિષ્કર્ષ પર ન પહોંચે ત્યાં સુધી ગુપ્તતા જાળવી રાખવી જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2025 02:08 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK