શરદ પવાર જૂથના વકીલે ફરિયાદ કરી એને પગલે સુપ્રીમ કોર્ટે અજિત પવાર જૂથને આવો સવાલ કરીને સોગંદનામું નોંધાવવા કહ્યું
અજિત પવાર
કેન્દ્રીય ચૂંટણી પંચે એનસીપી અને એનું ચૂંટણીચિહ્ન અજિત પવાર જૂથને સોંપવાનો નિર્ણય લીધો એને શરદ પવાર જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ મામલાની ગઈ કાલે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે શરદ પવાર જૂથના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે અલગ થઈ ગયા બાદ પણ અજિત પવાર જૂથ મતદારોને આકર્ષવા માટે શરદ પવારના નામ અને ફોટોનો ઉપયોગ કરી રહ્યું છે.