Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > યોગી આદિત્યનાથ ૧૮ મેએ નાલાસોપારામાં

યોગી આદિત્યનાથ ૧૮ મેએ નાલાસોપારામાં

16 May, 2024 09:48 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ૧૮ મેએ નાલાસોપારા-પાલઘર લોકસભા બેઠકના ઉમેદવાર ડૉ. હેમંત સાવરાના પ્રચાર માટે આવી રહ્યા છે

યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ


પાલઘર લોકસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ હોવાથી અહીં ખરી રસાકસી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ૧૮ મેએ નાલાસોપારા-પાલઘર લોકસભા બેઠકના ઉમેદવાર ડૉ. હેમંત સાવરાના પ્રચાર માટે આવી રહ્યા છે.


નાલાસોપારા-વેસ્ટના શ્રીપ્રસ્થા રોડ આવેલા ફનફીએસ્ટા થિયેટર પાસે સવારે સાડાઅ​ગિયાર વાગ્યે સ્વ. શ્રી બાળાસાહેબ ઠાકરે મેદાનમાં પ્રચારસભા યોજવામાં આવી છે. કટ્ટર હિન્દુ ચહેરો ધરાવતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પાલઘરમાં યુદ્ધના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાલઘર લોકસભા બેઠક પર ​ત્રિપાંખિયો જંગ હોવાથી ઉદ્ધવ ઠાકરે પણ તેમના ઉમેદવાર માટે વસઈના મેદાનમાં ઊતર્યા હતા. આ મતવિસ્તારમાં મહાયુતિ વતી BJPના ડૉ. હેમંત સાવરા, મહાવિકાસ આઘાડી તરફથી ભારતી કામડી અને બહુજન વિકાસ આઘાડી તરફથી રાજેશ પાટીલને ઉમેદવારી આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2024 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK