Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૭ મેએ પહેલી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ ઠાકરે એક મંચ પર આવશે

૧૭ મેએ પહેલી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ ઠાકરે એક મંચ પર આવશે

16 May, 2024 10:48 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ MNSના વડાને ઘરે જઈને આપ્યું આમંત્રણ

BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશખેર બાવનકુળેએ તેમના ઘરે જઈને આમંત્રણ આપ્યું હતું

BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશખેર બાવનકુળેએ તેમના ઘરે જઈને આમંત્રણ આપ્યું હતું


વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૧૭ મેએ મુંબઈમાં શિવાજી પાર્કમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સામેલ થવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેને ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશખેર બાવનકુળેએ તેમના ઘરે જઈને આમંત્રણ આપ્યું હતું. આથી લોકસભાની આ ચૂંટણીના પ્રચારમાં પહેલી વખત એક મંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ ઠાકરે આવશે. મહારાષ્ટ્રના પાંચમા અને છેલ્લા તબક્કામાં મુંબઈ સહિત નાશિક લોકસભાની બેઠકોની ચૂંટણી છે. આ બન્ને જગ્યાએ રાજ ઠાકરેનું સારુંએવું વજન છે એટલે મરાઠી મતદારોને આકર્ષિત કરવા તેમને જાહેર સભા માટે ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2024 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK