Lockdown: સુરતથી મજુરો છોટાઉદેપુર પોતાના ઘરે જવા પગપાળા નીકળ્યા
પગપાળા ચાલતા મજુરો
લૉકડાઉનની અસર દરેક જગ્યાએ જોવા મળી છે. દેશને 21 દિવસ માટે લૉકડાઉન કરી દેવાયો હોવાથી બધી જ દિનચર્યા ખોરવાઈ ગઈ છે. લૉકડાઉનની વિપરીત અસર નર્મદા જીલ્લામાં પણ જોવા મળી રહી છે. નર્મદા જીલ્લામાં એટલે કે સુરતમાં રોજીરોટી કમાવવા અને મજુરી કરવા છોટા ઉદેપુરમાંથી અનેક લોકો હંમેશા આવતા હોય છે. ભારતમાં જનતા કર્ફ્યું જાહેર કરતા અચાનક જ આ મજુરોને રજા આપી દેવાઈ હતી અને નર્મદા જીલ્લામાં જ્યાં તેઓ મજુરી કરતા હતા ત્યાંથી પણ તેમને રવિવાર પછી કાઢી મુકવામાં આવ્યા હતા. એટલે હવે તેઓ જાય ક્યાં! વાહનવ્યવહાર બંધ હોવાથી પોતાના વતન છોટાઉદેપુર પહોચવું મુશ્કેલ હતું. અંતે તેમને પગપાળા પ્રવાસ કરવાનું શરૂ કર્યું હતું.
ADVERTISEMENT
વાહનવ્યવહાર બંધ હોવાથી ચાલીને જવા સિવાય આ મજુરો પાસે બીજો કોઈ પર્યાય જ નહોતો
સુરતથી છોટાઉદેપુર 270 કિમી જેટલું છે. રાજપીપળા સુધી 120 કિમીનું અંતર કાપતા આ મજુરોને બે દિવસ લાગ્યા હતા અને એટલામાં તો તેમના પગ છોલાઈ ગયા હતા. તેમની પરિસ્થિતિ ખરેખર દયનીય થઈ ગઈ હતી. છોટાઉદેપુર પહોચવા માટે હજી તો બીજું 150 કિમી અંતર કાપવાનું છે ત્યારે તેમની હાલત ખરેખર ખરાબ થશે તેવું અત્યારની પરિસ્થિતિને જોઈને લાગ્યું હતું. મજુરોના આ ટોળામાં અનેક મહિલાઓ પણ છે અને બધાના હાથમાં ઘણો સામાન પણ છે.
ચાલી ચાલીને મજુરોના પગ છોલાઈ ગયા છે
આધિવાસી મજુરોનું કહેવું છે કે, આ રીતે પગપાળા સુરતથી 100 થી પણ વધુ કુટુંબો પગપાળા છોટાઉદેપુર જવા નીકળ્યા છે. મજુરોની સ્થિતિ જોઈને લાગે છે કે પરિસ્થિતિ ખરેખર કસોટી કરી રહી છે!