દુર્ગા દેવીમાની નહીં પણ દુર્ગાની ભક્તની વાત કહે છે
ચાહત પાન્ડે
સ્ટાર ભારત પર શરૂ થનારા નવા શો ‘દુર્ગા’માં વાત મા દુર્ગાની નહીં પણ મા દુર્ગાના એવા ભક્તની છે જે એવું માને છે કે માતાજીએ તેની પસંદગી અસુરી શક્તિઓ સામે લડવા માટે કરી છે અને તે એ કામ કરે છે. સિરિયલની વાર્તા રૂપમની આસપાસ ઘુમરાય છે. રૂપમના જીવનમાં અનેક તકલીફો આવે છે અને એ દરેક તકલીફ સમયે તેની બાજુમાં એવી અદૃશ્ય શક્તિ આવીને ઊભી રહે છે જે સતત તેને સહાય કરે છે.
રૂપમનું કૅરૅક્ટર અવિનાશ મિશ્રા કરે છે જ્યારે દુર્ગાનું પાત્ર ચાહત પાન્ડે કરે છે. ચાહતે કહ્યું હતું, ‘દુર્ગા મા દુર્ગાની અનન્ય ભક્ત છે. તમામ તકલીફો વચ્ચે પણ તે મા દુર્ગાનો સાથ નથી છોડતી અને એટલે જ મા દુર્ગા તેને સતત સહાય કરે છે.’