Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધીએ અમેઠીને બદલે રાયબરેલી બેઠક પસંદ કરી એ પછી નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસીઓને સંબોધીને કહ્યું...

રાહુલ ગાંધીએ અમેઠીને બદલે રાયબરેલી બેઠક પસંદ કરી એ પછી નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસીઓને સંબોધીને કહ્યું...

04 May, 2024 12:52 PM IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BJP સરકાર સરકારી એજન્સીઓને તપાસ કરવાનું કહીને એના ટીકાકારો અને રાજકીય ​વિરોધીઓને ડરાવવાનું કામ કરે છે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


BJP સરકાર સરકારી એજન્સીઓને તપાસ કરવાનું કહીને એના ટીકાકારો અને રાજકીય ​વિરોધીઓને ડરાવવાનું કામ કરે છે એવો આરોપ લગાવીને રાહુલ ગાંધી એમ કહેતા હતા કે ડરો મત, ભાગો મત; પણ હવે એ જ શબ્દોથી તેમના ​વિરોધીઓ કહી રહ્યા છે કે ડરો મત, ભાગો મત.

રાહુલ ગાંધીએ અમેઠીની બેઠક છોડીને રાયબરેલીમાંથી લડવાનો નિર્ધાર કર્યો એ મુદ્દે રાહુલ ગાંધી પર ​નિશાન તાકતાં પ​શ્ચિમ બંગાળમાં ચૂંટણીસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના શહઝાદા કેરલાની વાયનાડ બેઠક પરથી ચૂંટણી હારી રહ્યા છે એવું મેં તમને કહ્યું હતું. મેં એ પણ કહ્યું હતું કે વાયનાડમાં ચૂંટણી પૂરી થશે એટલે તેઓ નવી બેઠક શોધશે અને એવું જ થયું છે. મેં એ પણ કહ્યું હતું કે કૉન્ગ્રેસના મોટા નેતાઓ ચૂંટણી લડવા મેદાનમાં નહીં આવે અને એવું જ થઈ રહ્યું છે. માતા રાજસ્થાનમાંથી રાજ્યસભામાં પ્રવેશ મેળવી ચૂક્યાં છે. હવે શહઝાદા પણ અમેઠીમાંથી નીકળીને રાયબરેલી જતા રહ્યા છે. આ એ લોકો છે જેઓ કહેતા હતા કે ડરો મત, ભાગો મત. પણ હવે તેઓ જ ભાગી રહ્યા છે. હું કહેવા માગું છું કે અરે... ડરો મત, ભાગો મત.’


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 12:52 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK