ઉસ્તાદ ગુલામ મુસ્તફાના વિદાયથી લતા મંગેશકર થયાં દુ:ખી
ઉસ્તાદ ગુલામ મુસ્તફાના
ભારતીય શાસ્ત્રીય સંગીતકાર પદ્મ વિભૂષણ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનના અવસાનના સમાચાર મળતાં જ લતા મંગેશકરે શોક વ્યક્ત કર્યો છે. રાજકીય સન્માનની સાથે તેમની અંતિમ વિધિ ગઈ કાલે સાંજે સાંતાક્રુઝના કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. તેમનો ફોટો ટ્વિટર પર શૅર કરીને લતા મંગેશકરે ટ્વીટ કર્યું હતું કે ‘થોડા સમય પહેલાં જ મને જાણવા મળ્યું છે કે મહાન શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાહેબનું નિધન થયું છે. સાંભળીને મને ખૂબ દુઃખ થયું છે. તેઓ ગાયકની સાથે જ સારા વ્યક્તિ પણ હતા. મારી ભાણેજે પણ ખાન સાહેબ પાસે સંગીતની તાલીમ લીધી હતી. મેં પણ તેમની પાસેથી થોડું સંગીત શીખ્યું હતું. તેમના અવસાનથી સંગીતને હાનિ પહોંચી છે. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.’
તો બીજી તરફ ટ્વિટર પર એ. આર. રહમાને ટ્વીટ કર્યું હતું કે ‘તેઓ સૌના વહાલા શિક્ષક હતા. ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને અન્ય દુનિયામાં વિશેષ સ્થાન મળે.’