RBI એ સતત પાંચવાર રેપો રેટ ઘટાડ્યા બાદ આજે કોઇ ફેરફાર ન કર્યો
RBI
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ (RBI) એ આ વખતે લોકોને નિરાશ કર્યા હતા. RBI એ રેપો રેટમાં કોઇ જ ફેરફાર કર્યો ન હતો. સતત પાંચ વખત રેપો રેટ ઘટાડ્યા બાદ આ વખતે રેપો રેટમાં કોઇ જ ફેરફાર કર્યો નહી. અર્થશાસ્ત્રીઓની ધારણા પ્રમાણે 0.25 ટકા ઘટાડાની આશા હતી. RBI એ ચાલુ નાણાંકીય વર્ષ માટે જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડીને 5 ટકા કર્યું છે. અગાઉનું અનુમાન 6.1 ટકા હતું. બીજા છમાસિક(ઓક્ટોબર-માર્ચ)માં રિટેલ મોંઘવારી દરનું અનુમાન ઘટાડીને 4.7-5.1 ટકા કર્યું છે. ગત વર્ષે 3.5 ટકાથી 3.7 ટકાનું અનુમાન હતું.
Repo rate remains unchanged at 5.15%, reverse repo rate is at 4.90% and bank rate is 5.40%. pic.twitter.com/MtoiJs0jX6
— ANI (@ANI) December 5, 2019
ADVERTISEMENT
GDP ગ્રોથ 6 વર્ષમાં સૌથી ઓછો, આ કારણે આરબીઆઈ રેટ ઘટાડી શકે છે
આર્થિક વિકાસ દરની ગતિ વધારવા માટે આરબીઆઈ મૌદ્રિક નીતી સમિતિ(MPC) રેપો રેટમાં વધુ ઘટાડાનો નિર્ણય લઈ શકે છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ માત્ર 4.5 ટકા રહ્યો. તે છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછો છે. રેપો રેટ એ દર છે જેની પર આરબીઆઈ કોમર્શિયલ બેન્કોને લોન આપે છે. આ દરમાં ઘટાડાથી બેન્કોને સસ્તી લોન મળશે તો તેમની પર ગ્રાહકોને સસ્તી લોન ઉપલબ્ધ કરાવવાનું દબાણ વધશે.
આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો
આરબીઆઈએ રેપો રેટ ઘટાડ્યા બાદ બેન્કોએ એટલો ફાયદો ગ્રાહકોને આપ્યો નથી. આ કારણે કેન્દ્રીય બેન્કોએ ઓક્ટોબરથી વ્યાજ દરોને રેપો રેટ જેવા બાહરના બેન્ચમાર્ક સાથે જોડવાનું અનિવાર્ય કર્યું હતું. એસબીઆઈ સહિતની અગ્રણી બેન્કોએ વ્યાજ દરોને રેપો રેટ સાથે લિન્ક કરવાનો વિકલ્પ પસંદ કર્યો.