તામિલનાડુના ચેન્નઈમાં બિલાડીઓ સુરક્ષિત નથી અને તેમના પ્રત્યે નિર્દય વ્યવહાર થાય છે એવો દાવો એક યુવકે કર્યો હતો.
અજબગજબ
જોશુઆ
તામિલનાડુના ચેન્નઈમાં બિલાડીઓ સુરક્ષિત નથી અને તેમના પ્રત્યે નિર્દય વ્યવહાર થાય છે એવો દાવો એક યુવકે કર્યો હતો. જોશુઆ નામના ઍનિમલ-લવરે જણાવ્યું હતું કે શહેરમાં બિલાડીના માંસનો વેપાર ખૂબ વધ્યો છે, રાતના સમયે કેટલાક લોકો રખડતી બિલાડીઓને કોથળામાં ભરે છે અને એને રોડસાઈડ નૉન-વેજ હોટેલ અને બિરયાની શૉપમાં વેચી દે છે.
આ કૉલેજિયને એક માણસને બિલાડી પકડતાં રંગેહાથ ઝડપી લીધો હતો. એ વ્યક્તિ બિલાડીઓના કોથળા એક પછી એક વેહિકલમાં ભરતો હતો. બીજા દિવસે તેણે આવી ૧૦-૧૫ બિલાડીઓને છોડાવી હતી. જોશુઆએ કહ્યું કે આમાં એક મોટી ગૅન્ગ સામેલ છે અને જો આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં લોકોને બિલાડીઓ માત્ર કાર્ટૂન અને ઝૂમાં જોવા મળશે.