Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટીમ ઇન્ડિયા માટે અનલકી છે?

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટીમ ઇન્ડિયા માટે અનલકી છે?

Published : 07 March, 2026 08:24 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ જ કારણસર ભારતીય ટીમે આ વખતે હોટેલ બદલી હોવાની અને ડ્રેસિંગ રૂમ પણ બદલશે એવી ચર્ચા

ગઈ કાલે અમદાવાદની તાજ સ્કાયલાઇન હોટેલમાં પહોંચેલા ભારતીય ક્રિકેટરો અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, સંજુ સૅમસન અને સૂર્યકુમાર યાદવ (તસવીરો : જનક પટેલ)

ગઈ કાલે અમદાવાદની તાજ સ્કાયલાઇન હોટેલમાં પહોંચેલા ભારતીય ક્રિકેટરો અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, સંજુ સૅમસન અને સૂર્યકુમાર યાદવ (તસવીરો : જનક પટેલ)


આવતી કાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ માટે ટીમ ઇન્ડિયા ગઈ કાલે પહોંચી  ગઈ હતી. ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામેની ટક્કર પહેલાં જોકે એવી ચર્ચા શરૂ થઈ છે કે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારત માટે અનલકી છે.

૨૦૨૩માં ભારત અહીં ઑસ્ટ્રેલિયા સામે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હારી ગયું હતું અને અત્યારના T20 વર્લ્ડ કપમાં આ જ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને ભૂંડી રીતે હરાવી હતી. આ જ કારણે ટીમ ઇન્ડિયાએ આ વખતે પોતાની હોટેલ બદલી છે એવી ચર્ચા છે.



૨૦૨૩માં ભારતીય ટીમ ITC નર્મદામાં રોકાઈ હતી અને આ વખતે તાજ સ્કાયલાઇનમાં રોકાઈ છે. એવી વાત છે કે બૅડ લક સુધારવા ટીમ ઇન્ડિયાએ આવું કર્યું છે અને સ્ટેડિયમમાં એ પોતાનો ડ્રેસિંગ રૂમ પણ બદલશે.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 08:24 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK