આ જ કારણસર ભારતીય ટીમે આ વખતે હોટેલ બદલી હોવાની અને ડ્રેસિંગ રૂમ પણ બદલશે એવી ચર્ચા
ગઈ કાલે અમદાવાદની તાજ સ્કાયલાઇન હોટેલમાં પહોંચેલા ભારતીય ક્રિકેટરો અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, સંજુ સૅમસન અને સૂર્યકુમાર યાદવ (તસવીરો : જનક પટેલ)
આવતી કાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ માટે ટીમ ઇન્ડિયા ગઈ કાલે પહોંચી ગઈ હતી. ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામેની ટક્કર પહેલાં જોકે એવી ચર્ચા શરૂ થઈ છે કે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારત માટે અનલકી છે.
૨૦૨૩માં ભારત અહીં ઑસ્ટ્રેલિયા સામે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હારી ગયું હતું અને અત્યારના T20 વર્લ્ડ કપમાં આ જ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને ભૂંડી રીતે હરાવી હતી. આ જ કારણે ટીમ ઇન્ડિયાએ આ વખતે પોતાની હોટેલ બદલી છે એવી ચર્ચા છે.
ADVERTISEMENT
૨૦૨૩માં ભારતીય ટીમ ITC નર્મદામાં રોકાઈ હતી અને આ વખતે તાજ સ્કાયલાઇનમાં રોકાઈ છે. એવી વાત છે કે બૅડ લક સુધારવા ટીમ ઇન્ડિયાએ આવું કર્યું છે અને સ્ટેડિયમમાં એ પોતાનો ડ્રેસિંગ રૂમ પણ બદલશે.
