નાગરિકતા બિલ પર અમેરિકી આયોગે અમિત શાહ પર પ્રતિબંધની માંગણી કરી
અમિત શાહ (File Photo)
આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર સંધીય અમેરિકી આયોગે (USCIRF) કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ (CAB) ખોટી દીશામાં આગળ વધારવામાં આવેલું એક ખતરનાક પગલું છે. USCIRF એ કહ્યું કે, જો CAB ભારતની સંસદમાં પસાર થશે તો ભારતના ગૃહપ્રધાન અમિત શાહ વિરૂદ્ધ પ્રતિબંધ લગાવવો જોઇએ.USCIRF એ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, બિલ લોકસભામાં પસાર થવાનું કારણ ચિંતિત છે.
નાગરિકતા બિલને લોકસભામાં મંજુરી મળી
લોકસભામાં સોમવારના રોજ CAB એ મંજૂરી આપી દીધી છે, જેમાં અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક ત્રાસના કારણે 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા હિન્દુ, સિખ, બોદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા માટે અરજી કરવાને પાત્ર બનવાની જોગવાઇ છે.
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
બંને સંસદમાં CAB બિલ પસાર થશે તો અમિત શાહ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર થશે
આયોગે કહ્યું કે, જો CAB બંને સંસદોમાં પસાર થયું તો અમેરિકી સરકારે ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્ય નેતૃત્વ વિરૂદ્ધ પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે.તેઓએ કહ્યું, 'અમિત શાહ દ્વારા રજૂ કરાયેલું આ બિલ લોકસભામાં પસાર થવા પર USCIRF ચિંતિત છે.