Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર દિને બેઘર બની ગયેલા મુલુંડના ૨૦૦ ભાડૂતોએ BMCની ઑફિસની બહાર કર્યાં ધરણાં

મહારાષ્ટ્ર દિને બેઘર બની ગયેલા મુલુંડના ૨૦૦ ભાડૂતોએ BMCની ઑફિસની બહાર કર્યાં ધરણાં

02 May, 2024 09:01 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમના મકાનને જર્જરિત જાહેર કરીને સુધરાઈએ ૨૦૨૨માં તોડી પાડ્યું હતું ત્યારથી રહેવાસીઓ ઘર માટે ફાંફાં મારી રહ્યા છે ઃ જ્યાં રહેતા હતા એ પ્લૉટ પર BMC ટ્રાન્ઝિટ કૅમ્પ નહીં બનાવી આપે તો મતદાનના બહિષ્કારની આપી ચીમકી

શાહ નિવાસ બિલ્ડિંગના ભાડૂતોએ ગઈ કાલે ધરણાં કર્યાં હતા

શાહ નિવાસ બિલ્ડિંગના ભાડૂતોએ ગઈ કાલે ધરણાં કર્યાં હતા


મુલુંડ-વેસ્ટના ઝવેર રોડ પર આવેલા પાઘડીવાળા બિલ્ડિંગ શાહ નિવાસને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ જર્જરિત જાહેર કરીને ઑગસ્ટ ૨૦૨૨માં એનું ડિમોલિશન કર્યું હતું. ૨૦ મહિના વીતી ગયા પછી પણ અહીં ૪૩ ઘરોમાં રહેતા ૨૦૦ જણે પોતાના હકનાં ઘર ન મળતાં ગઈ કાલે સવારે BMCની વિરુદ્ધ શાહ નિવાસના ખાલી પ્લૉટ પર ધરણાં કર્યાં હતાં. તેમણે માગણી કરી હતી કે BMCએ અમારાં ઘર તોડ્યાં છે તો હવે BMC જ અમને અમારાં ઘર પાછાં બનાવી આપે, જો BMC એમ કરવામાં નિષ્ફળ જશે તો આ 
લોકસભાના ઇલેક્શનમાં અમે વોટિંગનો બહિષ્કાર કરીશું.

છેલ્લા ૨૦ મહિનાથી અમે બધા બેઘર થઈ ગયા છીએ, પોતાનું ઘર હોવા છતાં અમારે પોતાના ખર્ચે ભાડા પર રહેવાનો વારો આવ્યો છે એમ જણાવતાં શાહ નિવાસ બિલ્ડિંગના રહેવાસી પંકજ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૬માં ટેક્નિકલ ઍડ્વાઇઝર કમિટીએ અમારું બિલ્ડિંગ જર્જરિત જાહેર કર્યા બાદ BMCએ ઑગસ્ટ ૨૦૨૨માં બિલ્ડિંગ ડિમોલિશ કર્યું હતું અને ત્યારથી અમે ૪૩ ભાડૂતો બેઘર બની ગયા છીએ. અમારું બિલ્ડિંગ એક ડેવલપરે રીડેવલપમેન્ટ માટે લીધું હોવાની જાણ થતાં અમે તેમની પાસે પૂછપરછ કરવા ગયા હતા, પણ તેમણે અમને કોઈ રીતે સહકાર નહોતો આપ્યો. અમારા ૪૦ ટકા જેટલા ભાડૂતો તો સિનિયર સિટિઝન છે. એટલું જ નહીં, અમુક તો હૅન્ડિકૅપ્ડ છે. છેલ્લા ૨૦ મહિનાથી અમે બધા પરેશાન થઈ ગયા છીએ.’



BMCએ જે પાવરથી અમારું બિલ્ડિંગ ડિમોલિશ કર્યું હતું એ જ પાવર અમારા માટે વાપરીને અમને અમારાં હકનાં ઘર પાછાં અપાવે એમ જણાવતાં પંકજ શાહે ઉમેર્યું હતું કે ‘BMC પાસે અમારી માગણી છે કે તેઓ અમને અમારી જ જગ્યાએ રહેવા માટે ટ્રાન્ઝિટ કૅમ્પ બનાવી આપે. જો તેઓ આ દિશામાં કોઈ પગલું નહીં ભરે તો બિલ્ડિંગના અમારા ૨૦૦ મેમ્બરો લોકસભાના ઇલેક્શનમાં મતદાનનો બહિષ્કાર કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK