ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લંબાયો: DGCA
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ભારતે 23 માર્ચથી 30 નવેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક પ્રવાસી ફ્લાઇટ્સ (International Commercial Flights) રદ કરી દીધી હતી. વંદેભારત મિશન હેઠળ કેટલાક પસંદગી કરેલા માર્ગે વિદેશી ફ્લાઇટ્સનું આવાગમન થઈ રહ્યું છે.
નાગર વિમાનન મહાનિદેશાલય (DGCA)એ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધનો સમય વધારીને 31 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવ્યો છે. નાગર વિમાનન મહાનિદેશાલય (DGCA) પ્રમાણે, 31 ડિસેમ્બર સુધી ફક્ત વિશેષ ફ્લાઇટ્સનું સંચાલન થઈ શકશે.
ADVERTISEMENT
દેશના વિમાનન સુરક્ષા નિયામક ડીજીસીએએ ગુરુવારે આ બાબતે નિર્દેશ જાહેર કર્યા છે. DGCA પ્રમાણે, આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય માલવાહન સંચાલન અને નાગર વિમાનન મહાનિદેશાલય (Directorate General of Civil Aviation)એ પરિપત્રમાં કહ્યું કે સક્ષમ પ્રાધિકારીએ ભારતથી/ભારત માટે અનુસૂચિત આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક યાત્રી સેવાઓના નિલંબન સંબંધે જાહેર પ્રતિબંધની એક્સપાઇરીને 31 ડિસેમ્બર 2020 23.59 સુધી લંબાવી દીધી છે. જો કે, પસંદગીના માર્ગો પર આંતરરાષ્ટ્રીય અનુસૂચિત ફ્લાઇડ્સને પરવાનગી આપી શકાય છે. કોરાના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને બારતે 23 માર્ચથી 30 નવેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક પ્રવાસી ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો : એક મહિના સુધી એકેય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ નહીં ઉડે, આ છે કારણ...
નોંધનીય છે કે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ દરમિયાન વંદેભારત મિશન હેઠળ સરકારની પરવાનગી દ્વારા કેટલાક પસંદગીના માર્ગો પર વિદેશી ફ્લાઇટ્સનું આવાગમન થઈ રહ્યું છે. આને લઇને ભારતે સંબંધિત દેશોની સરકાર સાથે જુલાઇમાં ઍર બબલ સંબંધી કરાર પણ કર્યા હતા. વંદેભારત મિશન હેઠળ લાખો લોકોને ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા છે.