ઇન્ડિયન મૅન્સ ક્રિકેટ ટીમ હાલમાં ટૅસ્ટ મૅચ માટે ઇંગ્લૅન્ડમાં જ છે. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટૅસ્ટ મૅચનો આજે બીજો દિવસ છે. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ શું આ મૅચ જોવા જશે કે નહીં તે અંગે હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટારમર અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઇંગ્લૅન્ડના આયલ્સબરી નજીક ચેકર્સ ખાતે શાળાના બાળકોને મળતાં, તેમના નામવાળા શર્ટ પકડીને ઊભા હતા. (એજન્સી)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બ્રિટનના પ્રવાસે છે. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે વેપાર સમન્વયને મજબૂત બનાવવા માટે એક કરાર થયો છે. ગુરુવારે, ભારત અને બ્રિટનને ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કર્યા હતા. આ નિર્ણય પછી, પીએમ મોદી બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને મળ્યા અને ક્રિકેટનું ઉદાહરણ આપીને બન્ને દેશો વચ્ચેના સંબંધોની ઊંડાઈ પર પ્રકાશ પાડ્યો.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને લખ્યું, `આપણા બન્ને માટે, ક્રિકેટ ફક્ત એક રમત નથી, પરંતુ એક જુસ્સો છે. અને તે અમારી ભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે. ક્યારેક સ્વિંગ અને મિસ થઈ શકે છે, પરંતુ અમે હંમેશા સીધા બૅટથી રમીએ છીએ. અમે એક મજબૂત અને ઉચ્ચ સ્કોરિંગ ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.`
ADVERTISEMENT
For both of us, Cricket is not just a game, but a passion.
— PMO India (@PMOIndia) July 24, 2025
And also, a great metaphor for our partnership.
There may be a swing and a miss at times, but we always play with a straight bat!
We are committed to building a high scoring solid partnership: PM @narendramodi
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લૅન્ડ પ્રવાસે છે.
ઇન્ડિયન મૅન્સ ક્રિકેટ ટીમ હાલમાં ટૅસ્ટ મૅચ માટે ઇંગ્લૅન્ડમાં જ છે. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટૅસ્ટ મૅચનો આજે બીજો દિવસ છે. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ શું આ મૅચ જોવા જશે કે નહીં તે અંગે હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
શું છે FTA કરાર?
FTA હેઠળ, બ્રિટન ભારતના ૯૯ ટકા ઉત્પાદનો પર ટૅરિફ ઘટાડીને શૂન્ય સ્તર પર લાવશે. જ્યારે ભારત બ્રિટનના ૯૦ ટકા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે. આનાથી સ્કોચ વ્હિસ્કીથી લઈને બ્રાન્ડેડ મેકઅપ વસ્તુઓ સુધીની દરેક વસ્તુ સસ્તી થશે. ભારતના કાપડ, રત્ન-ઝવેરાત, એન્જિનિયરિંગ અને ઓટો ક્ષેત્રોને નવા બજારો મળશે.
બ્રિટનના વડા અને ભારતના વડાએ સંયુક્ત પત્રકાર પરિશદ યોજી
FTA પર હસ્તાક્ષર કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે ભારત અને યુકે આતંકવાદ સામેની લડાઈમાં એક થયા છે અને પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવા બદલ બ્રિટિશ સમકક્ષ કીર સ્ટાર્મરનો આભાર માન્યો. યુકેના વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું, "પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરવા બદલ અમે વડા પ્રધાન સ્ટાર્મર અને તેમની સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી તે અમારા મતે અમે એક છીએ."
"જે લોકો લોકશાહી સ્વતંત્રતાઓનો દુરુપયોગ કરીને લોકશાહીને જ નુકસાન પહોંચાડે છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ," પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું. પીએમ મોદીએ ગયા મહિને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા યુકે નાગરિકોના પરિવારો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી.


