Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આંધ્ર પ્રદેશમાં બસ-અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવ્યો

આંધ્ર પ્રદેશમાં બસ-અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવ્યો

Published : 13 December, 2025 09:08 AM | IST | Visakhapatnam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નરેન્દ્ર મોદીએ દુખઃ વ્યક્ત કરીને બે-બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી દીધી

ગઈ કાલે વહેલી સવારે આંધ્ર પ્રદેશમાં ખીણમાં પલટી ખાઈ ગયેલી બસમાંથી પ્રવાસીઓને બચાવવા માટે સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા

ગઈ કાલે વહેલી સવારે આંધ્ર પ્રદેશમાં ખીણમાં પલટી ખાઈ ગયેલી બસમાંથી પ્રવાસીઓને બચાવવા માટે સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા


આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ (ASR) જિલ્લામાં ગઈ કાલે સવારે ૪.૩૦ વાગ્યે એક ખાનગી બસ ખીણમાં પડી જતાં ૯ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો અને ૨૦ અન્ય ઘાયલ થયા હતા. ચિત્તુરથી પાડોશી તેલંગણમાં જઈ રહેલી બસમાં ડ્રાઇવર અને ક્લીનર સહિત ૩૭ લોકો સવાર હતા. એમાંથી છ લોકો સુરક્ષિત છે. ભારે ધુમ્મસને કારણે વળાંકને બસ-ડ્રાઇવરે જોયો ન હોવાની શક્યતા છે. બસના મુસાફરો ચિત્તુરથી તેલંગણના ભદ્રાચલમમાં શ્રી રામ મંદિર જઈ રહ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આંધ્ર પ્રદેશની ખાડીમાં થયેલા દુ:ખદ અકસ્માતના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી જીવ ગુમાવનારા લોકોના નજીકના સંબંધીઓ માટે બે-બે લાખ રૂપિયા અને ઘાયલો માટે પચાસ-પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. તેમણે એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘આંધ્ર પ્રદેશમાં બસ-અકસ્માતમાં થયેલી જાનહાનિથી દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2025 09:08 AM IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK