કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ થયા કોરોના મુક્ત
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (ફાઈલ તસવીર)
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના વાયરસ (COVID-19) રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
અમિત શાહે ટ્વીટર પર લખ્યું હતું કે, હું ઇશ્વરનો ધન્યવાદ કરું છું અને આ સમયમાં જે લોકોએ મારા સ્વાસ્થ્ય લાભ માટે શુભકામના આપીને મારી અને મારા પરિવારની હિંમત વધારી તે બધાનો હ્યદયથી આભાર વ્યક્ત કરું છું. ડૉક્ટરની સલાહ પર હજુ થોડા દિવસો સુધી હોમ આઈસોલેશનમાં રહીશ.
ADVERTISEMENT
आज मेरी कोरोना टेस्ट रिपोर्ट नेगेटिव आई है।
— Amit Shah (@AmitShah) August 14, 2020
मैं ईश्वर का धन्यवाद करता हूँ और इस समय जिन लोगों ने मेरे स्वास्थ्यलाभ के लिए शुभकामनाएं देकर मेरा और मेरे परिजनों को ढाढस बंधाया उन सभी का ह्रदय से आभार व्यक्त करता हूँ।
डॉक्टर्स की सलाह पर अभी कुछ और दिनों तक होम आइसोलेशन में रहूँगा।
ગત 2 ઓગસ્ટના રોજ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. આજે શુક્રવારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા દેશભરમાં હવન અને યજ્ઞો કર્યા હતા. સાળંગપુરમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે ખાસ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.