Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ટેક્નિકલ ખામીને કારણે રદ થઈ ઍર ઇન્ડિયાની દિલ્હી-પેરિસ ફ્લાઈટ, લોકોને મળશે રિફંડ?

ટેક્નિકલ ખામીને કારણે રદ થઈ ઍર ઇન્ડિયાની દિલ્હી-પેરિસ ફ્લાઈટ, લોકોને મળશે રિફંડ?

Published : 17 June, 2025 06:49 PM | Modified : 18 June, 2025 07:00 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઍર ઇન્ડિયાની દિલ્હી-પેરિસ ફ્લાઈટ AI 143 17 જૂન 2025ના ટેક્નિકલ ખામીને કારણે રદ કરી દેવામાં આવી. જરૂરી તપાસ દરમિયાન મુશ્કેલી આવી જેને કારણે ફ્લાઇટ સમયસર સંચાલિત થઈ શકી નહીં કારણકે પેરિસના ઍરપૉર્ટ પર રાતે ઉડાન ભરવા પર પ્રતિબંધ છે.

ઍર ઇન્ડિયા ફ્લાઇટની ફાઈલ તસવીર

ઍર ઇન્ડિયા ફ્લાઇટની ફાઈલ તસવીર


ઍર ઇન્ડિયાની દિલ્હી-પેરિસ ફ્લાઈટ AI 143 17 જૂન 2025ના ટેક્નિકલ ખામીને કારણે રદ કરી દેવામાં આવી. જરૂરી તપાસ દરમિયાન મુશ્કેલી આવી જેને કારણે ફ્લાઇટ સમયસર સંચાલિત થઈ શકી નહીં કારણકે પેરિસના ઍરપૉર્ટ પર રાતે ઉડાન ભરવા પર પ્રતિબંધ છે. ઍરલાઈને પ્રભાવિત પ્રવાસીઓને હોટેલમાં રોકી રહી છે અને રિફંડ તેમજ રિશેડ્યૂલિંગની રજૂઆત પણ કરી રહી છે.


દિલ્હીથી પેરિસ માટે 17 જૂન 2025ના રવાના થનારી ઍર ઇન્ડિયાની ફ્લાઈટ નંબર AI 143ને રદ કરી દેવામાં આવી છે. ઍર ઇન્ડિયાના પ્રવક્તા તરફથી મંગળવારે આ માહિતી આપવામાં આવી છે. 



ઍર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે ફ્લાઈટ AI 143ને રદ કરવાનો નિર્ણય જરૂરી પ્રી-ફ્લાઈટ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ટેક્નિકલ સમસ્યાઓ આવવાને કારણે લેવામાં આવ્યો. ટેક્નિકલ ટીમ આને રિપેર કરી રહી છે.


મુસાફરોના રહેવા માટે કરવામાં આવી રહી છે વ્યવસ્થા
તેમણે કહ્યું કે પેરિસના ચાર્લ્સ ડી ગૌલ ઍરપોર્ટ પર રાત્રે ફ્લાઇટ્સ ચલાવવા પર પ્રતિબંધ હોવાથી, ફ્લાઇટ સમયસર ચલાવી શકાઈ ન હતી અને રદ કરવામાં આવી હતી.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયા તેના તમામ અસરગ્રસ્ત મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડી રહી છે. મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે તેમને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


રિફંડ આપવામાં આવશે અને રિશેડ્યુલિંગ પણ મફત
આ સાથે, જે મુસાફરો તેમની મુસાફરી રદ કરવા માંગે છે તેમને સંપૂર્ણ રિફંડ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જે મુસાફરો તેમની મુસાફરી ફરીથી શેડ્યુલ કરવા માંગે છે તેમની પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવી રહી નથી.

આ સાથે, જે મુસાફરો તેમની મુસાફરી રદ કરવા માંગે છે તેમને સંપૂર્ણ રિફંડ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જે મુસાફરો તેમની મુસાફરી ફરીથી શેડ્યુલ કરવા માંગે છે તેમની પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવી રહી નથી.

આ ફ્લાઇટ રદ થવાને કારણે, પેરિસથી દિલ્હી જતી રિટર્ન ફ્લાઇટ AI142, જે 17 જૂન, 2025 ના રોજ ઓપરેટ થવાની હતી, તેને પણ રદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, Ahmedabad to London Flight Cancel: અમદાવાદથી લંડન જતી ઍર ઇન્ડિયાની ફ્લાઈટ AI 159માં ટેક્નિકલ ખામીન કારણે તેને રદ કરી દેવામાં આવી. બોઈંગ 788 વિમાન બપોરે 110 વાગ્યે ટેકઑફ થવાનું હતું. આ ઘટના એ જ રૂટ પણ ઘટી છે જ્યાં પહેલા ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ટેક્નિકલ સમસ્યાને કારણે પ્રવાસીઓને થયેલી અસુવિધા માટે ઍરલાઈને દુઃખ વ્યક્ત કર્યું છે.

ગુજરાત, અમદાવાદથી લંડન જનારી ઍર ઇન્ડિયાના વધુ એક વિમાનમાં ટેક્નિકલ ખામી જોવા મળી છે. ફ્લાઈટ AI 159, બોઈંગ 788ને રદ કરી દેવામાં આવી છે. આ વિમાન આજે બપોરે 1.10 વાગ્યે અમદાવાદથી ટેક ઑફ કરવાનું હતું, પણ વિમાનમાં ટેક્નિકલ ખામીઓ સર્જાઈ ગઈ હોવાને કારણે, આ ફ્લાઈટને રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી.

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2025 07:00 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK