મહારાષ્ટ્રમાં હવે રચાશે 'ઠાકરે' સરકાર : સપા-કોંગ્રેસની સહમતી
ઉદ્ધવ ઠાકરો
મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી ચાલેલી મેરેથોન રાજતીય ડ્રામાનો હવ અંત આવતો હોય તેવું લાગી રહ્યું છે. શુક્રવારે કોંગ્રેસ-સપા-શિવસેનાના ધારાસભ્યો વચ્ચે મળેલી બેઠક પુરી થઇ ગઇ છે. જેમાં સપાના અધ્યક્ષ શરદ પવાર, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે અને શિવસેનાના તમામ સભ્યોએ ઉદ્ધવ ઠાકરના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા પર સહમતી બતાવી છે અને શનિવારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.
NCP Chief Sharad Pawar after Shiv Sena-NCP-Congress meeting: Tomorrow a press conference will be held by the three parties.Discussion are continuing. Tomorrow we will also decide when to approach the Governor (file pic) pic.twitter.com/fHfR2Q2GCO
— ANI (@ANI) November 22, 2019
ADVERTISEMENT
જાણો, બેઠકમાં કોણ હતું હાજર...
મુંબઇના નહેરૂ સેન્ટરમાં ત્રણેય દળોની મળેલી મહત્વની બેઠકમાં અહમદ પટેલ, પૃથ્વીરાજ ચોહાણ, એકનાથ શિંદે, શરદ પવાર, જયંત પાટિલ, સુભાષ દેસાઇ અને પ્રફુલ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
જાણો, શું કહ્યું ઉદ્ધવ ઠાકરેએ...
શિવ સેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે એ બેઠક બાદ કહ્યું-ત્રણે પક્ષો વચ્ચે પ્રથમ વાર બેઠક થઈ. ઘણાં મુદ્દે અમારી વાતચીત થઈ. અમે એવો કોઈ મુદ્દો ઈચ્છતા નથી જે છુટે.
સરકારમાં શિવસેના-કોંગ્રેસ-NCPના 16-15-12 પ્રધાનો સમાવાય તેની સંભાવના
મહારાષ્ટ્રના રાજકારણના ગરમાવા વચ્ચે શિવસેનાના મુખ્યપ્રધાન અને કોંગ્રેસ-NCPમાંથી 1-1 નાયબ મુખ્યપ્રધાન હોય શકે છે. તેમજ પ્રધાનમંડળમાં શિવસેના-કોંગ્રેસ અને NCPના અનુક્રમે 16-15-12 પ્રધાનો સમાવાય તેવી સંભાવનાઓ છે.