Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મને કેમ જિવાડ્યો? મારે મરી જવું છે

મને કેમ જિવાડ્યો? મારે મરી જવું છે

Published : 19 June, 2025 07:29 AM | Modified : 20 June, 2025 07:04 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્લેન-ક્રૅશમાં બચેલો એકમાત્ર વિશ્વાસકુમાર સગા ભાઈની અંતિમયાત્રામાં ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો

ગઈ કાલે દીવમાં પોતાના ભાઈની અંતિમયાત્રામાં વિશ્વાસકુમાર રમેશ.

ગઈ કાલે દીવમાં પોતાના ભાઈની અંતિમયાત્રામાં વિશ્વાસકુમાર રમેશ.


અમદાવાદમાં થયેલી પ્લેન-ક્રૅશની દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર ભાગ્યશાળી વિશ્વાસકુમાર રમેશને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે પરિવારજનો સાથે દીવ પહોંચ્યો હતો.  તેની સાથે એ જ પ્લેનમાં ટ્રાવેલ કરી રહેલા તેના સગા ભાઈ અજય સહિત દીવના કુલ ૭ લોકો મૃત્યુ પામ્યા હતા. ગઈ કાલે સૌની અંતિમયાત્રા નીકળી હતી. વિશ્વાસકુમાર ભાઈ અજયની અરથીને કાંધ આપતી વખતે ભાંગી પડ્યો હતો. ભાઈ-ભાઈની બૂમો પાડીને આક્રંદ કરતાં બોલતો હતો, ‘મને કેમ જિવાડ્યો, મને પણ મારી નાખવો હતો.’


જે ભયાવહ દુર્ઘટનામાંથી વિશ્વાસકુમાર આબાદ બચી ગયો એ ખરેખર અવિશ્વસનીય છે. જ્યારે તે સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતો ત્યારે સાઇકિયાટ્રિક ડૉક્ટરોએ તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. ડૉક્ટરોએ તેને કહ્યું નહોતું કે પ્લેન-ક્રૅશમાં તું જ એકમાત્ર બચ્યો છે. તેના ભાઈનું મોત થયું છે એની તેને ખબર નહોતી. જ્યારે પરિવારજનો તેને મળવા આવ્યા ત્યારે વિશ્વાસને ભાઈના મૃત્યુના ખબર મળ્યા હતા. એ પછીથી વિશ્વાસ રટણ કરતો રહ્યો હતો, ‘મારે પણ મરી જવું છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2025 07:04 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK