Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પાલક-પનીર તમે માનો છો એટલી હેલ્ધી ડિશ નથી

પાલક-પનીર તમે માનો છો એટલી હેલ્ધી ડિશ નથી

21 December, 2022 05:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે ચીજો હેલ્ધી હોય એ એકસાથે મળે ત્યારે પણ હેલ્ધી જ રહે એવું જરૂરી નથી. આ વાતનો પુરાવો છે ફેવરિટ ડિશ પાલક-પનીર. તો હવે પછી જો તમે આ વાનગી ખાતા હો તો એક વાર થોભજો

પાલક-પનીર તમે માનો છો એટલી હેલ્ધી ડિશ નથી

પૌરાણિક વિઝડમ

પાલક-પનીર તમે માનો છો એટલી હેલ્ધી ડિશ નથી


જન્ક ફૂડ હોય કે પ્રિઝર્વેટિવ્ઝવાળી પૅકેજ્ડ ચીજો, એ અનહેલ્ધી જ છે એ વાતમાં કોઈ બેમત નથી. એમ છતાં જીભના ચટાકાને કારણે લોકો એ ખોબલે-ખોબલે ખાય છે. જોકે કેટલીક વાર એવું બને છે કે આપણે કોઈક ચીજને બહુ હેલ્ધી માનીને એનો અતિરેક આપણી રોજિંદી જિંદગીમાં કરતા હોઈએ છીએ. આ ચીજો પણ એટલી જ જોખમી બની શકે છે એ વાત સમજવી જોઈએ. રૉન્ગ ફૂડ કૉમ્બિનેશનના જ વિષયમાં આજે આપણે વધુ એક સંયોજનની વાત કરવાના છીએ અને એ છે પાલક-પનીર. 

આ વાત મને યાદ એટલા માટે આવી કેમ કે હમણાં-હમણાંથી કિડની સ્ટોનના કેટલાક પેશન્ટ્સ બહુ સામે આવ્યા. એમાંના લગભગ અડધોઅડધ પેશન્ટ આ ‘હેલ્ધી’ ગણાતા પાલક-પનીરના શોખીન હતા. મોટા ભાગના લોકોને પહેલી જ વાર પથરીની સમસ્યા થઈ હતી. બાકી એક વાર પથરી થઈ ચૂકી હોય એવા દરદીઓને તો ખબર જ હોય છે કે તેમણે પાલક તેમ જ બીજી ઘણી ચીજો સમજીવિચારીને ખાવાની છે. પનીર તો વેજિટેરિયન્સ માટે પ્રોટીન અને કૅલ્શિયમનો ઉત્તમ સ્રોત છે, જ્યારે ગ્રીન લીફી વેજિટેબલ પાલકમાં આયર્નનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. એનીમિયાના દરદીઓને એ ખાવાનું કહેવામાં આવે છે. 



આ પણ વાંચો :  ગુડવાલી ચાય ખરેખર ગુડ છે?


કેમ આ કૉમ્બિનેશન ખરાબ? | જેને હીમોગ્લોબિનની કમી હોય અને આયર્ન સપ્લિમેન્ટ્સ લેવાનું કહેવામાં આવ્યું હોય તો તેમને ખાસ કહેવામાં આવતું હશે કે ચા-કૉફી સાથે કે દૂધ સાથે એ નથી લેવાનું. કેમ? કારણ કે દૂધ અને દૂધમાં રહેલું કૅલ્શિયમ આયર્નનું શોષણ થતું અટકાવે છે. એના કારણે આયર્ન લોહીમાં પૂરેપૂરું શોષાતું નથી અને સપ્લિમેન્ટની અસર નથી થતી. આ કેમિકલ પ્રોસેસ છે જે મૉડર્ન સાયન્સની વાત છે. જ્યારે આયુર્વેદમાં લીલી ભાજીઓ અને દૂધ કે દૂધની વાનગીઓને વિરુદ્ધ આહાર ગણાવીને એ સંયોજન લેવાની ના પાડી છે. હવે વાત કરીએ પાલક-પનીરની. પાલકમાંનું આયર્ન અને પનીરમાંનું કૅલ્શિયમ એ બન્ને એકબીજા માટે અવરોધરૂપ કામગીરી કરતાં હોવાથી નથી તમારા બૉડીમાં કૅલ્શિયમ પૂરતું શોષાતું, ન આયર્ન. આમ બાવાનાં બેય બગડે છે. આટલું હજી નથી. આ ન શોષાયેલાં આ તત્ત્વો એકબીજા સાથે મળીને કૅલ્શિયમ ઑક્ઝેલેટ બનાવે છે જે ધીમે-ધીમે પથરી રૂપે જમા થવાની સંભાવના વધી જાય છે. 

તો હવે તમને સમજાયું હશે કે પથરીના દરદીઓની મનભાવતી પાલક-પનીરની વાનગીએ કઈ રીતે તેમના આ રોગમાં ભાગ ભજવ્યો હશે. હવે વાત પથરીની નીકળી જ છે તો બીજી એવી વર્જ્ય શાકભાજીની વાત કરી લઈએ જે પથરીના દરદીઓએ ન ખાવી જોઈએ. પથરી થઈ હોય તો કે થવાની પ્રકૃતિ હોય તો રીંગણ, ટમેટાં, કાકડી જેવી બહુબીજ ગણાતી શાકભાજી ન લેવી. ખાલી પેટે સવારે ઊઠીને તરત જ ચા પીવાની આદત પણ પથરીની સાઇઝ વધારી શકે છે. 


આ પણ વાંચો : શુગર-ફ્રી ચ્યવનપ્રાશ વધુ સારો?

આટલું યાદ રાખજો
ચૉકલેટ, બીટ, કોલ્ડ ડ્રિન્ક્સ, ચા-કૉફી, સી-ફૂડ, માંસ જેવી ચીજોમાં ઑક્ઝેલેટ વધુ હોય છે એટલે પથરી થઈ શકે છે. 

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2022 05:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK