રક્ત પરીક્ષણ દ્વારા બીજી વારના બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન શક્ય
બ્રેસ્ટ-કૅન્સર
સામાન્ય રીતે નાની-નાની ગાંઠોને હૉસ્પિટલમાં સ્કૅન કરી પરીક્ષણ કરવામાં આવ્યા બાદ બીજી વારના સ્તન-કેન્સરનું નિદાન થાય છે. હવે બ્લડ-ટેસ્ટ દ્વારા વહેલું નિદાન શક્ય બનશે. એક વાર સ્તન-કૅન્સરનો ભોગ બનનારી મહિલાના ટ્યુમરના ડીએનએ ફ્રેગમેન્ટની બ્લડ ટેસ્ટ કરવાથી લગભગ એક વર્ષ પહેલાં આ બીમારી ફરીથી ઊથલો મારશે કે નહીં એ જાણી શકાશે. નવી લિક્વિડ બાયોપ્સી એસી ટકા ઍક્યુરેટ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : યોગ કરનારાઓને શું કામ ઝડપથી વાઇરલ ઇન્ફેક્શન નથી થતું?
ADVERTISEMENT
ધ ઇન્સ્ટિટ્યુટ ઑફ કૅન્સર રિસર્ચ ઍન્ડ ધ રૉયલ માર્સડેન એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલી આ પદ્ધતિનાં સચોટ પરિણામોને જોતાં અન્ય સંસ્થાઓએ પણ એની પ્રશંસા કરી છે. આ અભ્યાસમાં યુકેની પાંચ હૉસ્પિટલમાં સો જેટલી મહિલાઓના ટ્યુમરના ડીએનએનું રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બ્રેસ્ટ-કૅન્સરમાંથી સ્વસ્થ થયેલી મહિલાના પ્રથમ વર્ષમાં દર ત્રણ મહિને અને ત્યાર બાદ પાંચ વર્ષ સુધી વર્ષમાં બે વાર રક્તનું પરીક્ષણ કર્યા બાદ લિક્વિડ બાયોપ્સી વધુ અસરકારક હોવાનું તારણ નીકળ્યું હતું.