Taarak Mehta Ka Ooltah Chashmah: મળી ગયા નવા દયાબેન !!!
Taarak Mehta Ka Ooltah Chashmahકા ઉલ્ટા ચશ્મામાં દયાબેનના કેરેક્ટરની રાહ જોઈ રહેલા તમામ દર્શકો માટે નવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે એક નવી એક્ટ્રેસ વિભુતિ શર્મા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવી શકે છે. વિભુતિ શર્મા બડે અચ્છે લગતે હૈ અને હમને લી હૈ શપથ જેવા ટીવી શોમાં પાત્ર ભજવી ચૂક્યા છે. આ સાથે જએવી પણ ચર્ચા છે કે જૂના દયાબેન દિશા વાકાણીના કમબેકની સંભાવના પણ પૂર્ણ થઈ ગઈ છે.
કેમ ગાયબ છે દયાબેન ?
ADVERTISEMENT
દિશા વાકાણી લાંબા સમયથી મેટરનિટી લીવ પર છે. મેટરનિટી લીવ બાદ તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં પાછા આવ્યા જનથી. દિશા વાકણી કોન્ટ્રેક્ટમાં પોતાની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જોડવા ઈચ્છતા હતા. શોના પ્રોડ્યુસર અસિત મોદી તેના માટે તૈયાર નથી. સામે દિશા વાકાણીએ પોતાની માગ ઓછી કરવાની ના પાડી દીધી છે. તે પોતાની શરતે જ શોમાં કામ કરવા ઈચ્છે છે. બાદમાં આસિત મોદીએ તેમને રિપ્લેસ કરવાનો નિર્ણય કર્યો છે.
લગભગ નક્કી છે વિભૂતિ શર્મા
એક અંગ્રેજી વેબસાઈટના અહેવાલ પ્રમાણે દયાબેનના રોલ માટે પૂર જડપે ઓડિશન ચાલી રહ્યા છે. આ ઓડિશન સફળ પણ રહ્યા છે. સેટ પરના સૂત્ર પાસેથી મળેલી માહિતી પ્રમાણે,'દયાબેનના રોલમાં વિભૂતિ શર્મા દેખાઈ શકે છે. વિભૂતી શર્માએ સોમવારે પોતાનું એક મૉક શૂટ પણ કર લીધું છે. દયાબેનના લૂકમાં તે દિશા વાકાણી જેવી જ લાગી રહી હતી.' જો કે હજી સુધી વિભુતીએ કોન્ટ્રાક્ટ સાઈન થી કર્યો.
આ પણ વાંચોઃ નાયક નહીં આ ગુજરાતી એક્ટર્સ Reel લાઈફમાં છે ખલનાયક
કારણ કે શોના પ્રોડ્યુસર અસિત મોદી દયાબેનના રોલ માટે કોઈ સમજૂતી કરવા નથી માગતા. દયાબેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું મુખ્ય ફીમેલ પાત્ર છે, તેની લોકપ્રિયતા ઘર ઘરમાં છે. ત્યારે આસિત મોદી વિભૂતી શર્માને કાસ્ટ કરતા પહેલા ડબલ શ્યોર થવા માગે છે.