Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગોવિંદાએ વૃંદાવનમાં ઠાકુર બાંકે બિહારી મંદિરમાં કરી પૂજા-અર્ચના

ગોવિંદાએ વૃંદાવનમાં ઠાકુર બાંકે બિહારી મંદિરમાં કરી પૂજા-અર્ચના

Published : 28 April, 2026 12:28 PM | IST | Vrindavan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોવિંદા ગઈ કાલે વૃંદાવનના વિખ્યાત ઠાકુર બાંકે બિહારી મંદિર પહોંચ્યો હતો. અહીં મંદિરના સેવાયત પૂજારીઓએ વિધિવત્ મંત્રોચ્ચાર સાથે ગોવિંદા પાસે પૂજા-અર્ચના કરાવી હતી.

ગોવિંદાએ વૃંદાવનમાં ઠાકુર બાંકે બિહારી મંદિરમાં કરી પૂજા-અર્ચના

ગોવિંદાએ વૃંદાવનમાં ઠાકુર બાંકે બિહારી મંદિરમાં કરી પૂજા-અર્ચના


ગોવિંદા ગઈ કાલે વૃંદાવનના વિખ્યાત ઠાકુર બાંકે બિહારી મંદિર પહોંચ્યો હતો. અહીં મંદિરના સેવાયત પૂજારીઓએ વિધિવત્ મંત્રોચ્ચાર સાથે ગોવિંદા પાસે પૂજા-અર્ચના કરાવી હતી. દર્શન કર્યા બાદ ગોવિંદા અત્યંત ભાવુક થઈ ગયો હતો અને તેણે કહ્યું હતું કે વૃંદાવનની પવિત્ર માટી અને બાંકે બિહારીનાં ચરણોમાં તેને અપરંપાર શાંતિ મળે છે. ગોવિંદાનો વૃંદાવન સાથે ઊંડો આધ્યાત્મિક લગાવ રહ્યો છે અને તે ઘણી વાર સમય કાઢીને અહીં આવે છે. આ દર્શન પછી ગોવિંદાએ કહ્યું હતું કે ‘વૃંદાવન માત્ર એક સ્થળ નથી, સાક્ષાત્ પ્રેમ અને ભક્તિનું સ્વરૂપ છે. અહીં આવ્યા પછી મન સંપૂર્ણ રીતે શાંત થઈ જાય છે અને પ્રભુની ભક્તિમાં લીન થઈ જાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 12:28 PM IST | Vrindavan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK