રાજસ્થાનના ચુરુમાં એક જાહેર રેલી દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પ્રખ્યાત કવિતા `સૌગંધ મુઝે મિટ્ટી કી, મૈં દેશ નહીં મિટને દૂંગા` સંભળાવતા પહેલા `બાલાકોટ એરસ્ટ્રાઈક`ની યાદને ફરી યાદ કરી. તેણે ૨૬મી ફેબ્રુઆરીના રોજ એરસ્ટ્રાઈક સમયે ચુરુમાં હોવાની યાદ અપાવી. તેમણે કહ્યું કે, `જ્યારે હું 26મી ફેબ્રુઆરી 2019ના રોજ ચુરુ આવ્યો હતો, તે સમયે દેશે બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો. અમે આતંકવાદીઓને પાઠ ભણાવ્યો હતો. તે સમયે મેં કહ્યું હતું કે હું ભારત માતાને ઝુકવા નહીં દઉં...જ્યારે આપણી સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરી ત્યારે કોંગ્રેસ અને આ `ઘમંડિયા` ગઠબંધનના લોકો પુરાવા માંગી રહ્યા હતા. દેશના ભાગલા પાડવું અને આપણી સેનાનું અપમાન કરવું એ કોંગ્રેસ પાર્ટીની ઓળખ છે.`