અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી 7 મેના રોજ મતદાન કરવા અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ તેમના પરિવારના સભ્યો સાથે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા. આ ઉદ્યોગપતિ તેમની પત્ની પ્રીતિ અદાણી અને પુત્ર કરણ અદાણી અને પુત્રવધૂ પરિધિ અદાણી સાથે મતદાન મથક પર જોવા મળ્યા હતા. મત આપ્યા પછી, અદાણીએ તેમના અનુભવને શૅર કરવા અને અન્ય નાગરિકોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા સોશિયલ મીડિયાનો સહારો લીધો. તેમણે મતદારોને "રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા માટે મતદાનને ફરજ તરીકે સ્વીકારવા" અપીલ કરી. ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.