વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અદાણી અને અંબાણી પર પાર્ટીના અચાનક મૌન પર સવાલ ઉઠાવતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા અને ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા મેળવ્યા હોવા એ અંગે સવાલ પણ ઉઠાવ્યા હતા. એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે “વર્ષો સુધી કોંગ્રેસના ‘શહેજાદા’ ‘5 ઉદ્યોગપતિઓ’ની વાત કરતા હતા અને બાદ તેમણે માત્ર ‘અંબાણી અને અદાણી’ની જ વાત કરવાનું શરૂ કર્યું હતું અને હવે તેઓ તેમની બાબતે પણ ચૂપ થઈ ગયા છે. શું કૉંગ્રેસ અને ઉદ્યોગપતિઓ વચ્ચે કોઈ ગુપ્ત ડીલ છે?. કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાઈ અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કરેલા શાબ્દિક પ્રહારનો જવાબ આપ્યો હતો.