દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે 16 મેના રોજ લખનઊમાં એક સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદનું સંબોધન કરતી વખતે અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવે 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. “વલણો દર્શાવે છે કે ભાજપને 220થી કરતાં પણ બેઠકો મળવાની છે. હરિયાણા, દિલ્હી, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, યુપી, બિહાર, ઝારખંડ અને રાજસ્થાનમાં ભાજપની બેઠકો ઓછી થવા જઈ રહી છે. ભાજપ નહીં પણ ઈન્ડિયા ગઠબંધન તેમની સરકાર બનાવવા જઈ રહ્યું છે, એમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું.