Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > સ્વાતિ માલીવાલ પર થેયલા હુમલા બાબતે નિર્મલા સીતારમણની કેજરીવાલ પર ટીકા

સ્વાતિ માલીવાલ પર થેયલા હુમલા બાબતે નિર્મલા સીતારમણની કેજરીવાલ પર ટીકા

17 May, 2024 07:41 IST | New Delhi

દિલ્હીના મુખ્ય પ્રધાનના પીએ દ્વારા આપ સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિત રીતે મારપીટ કરવાનો આરોપ કરવામાં આવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ અંગે હવે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 17 મેના રોજ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કેજરીવાલને બેશરમ ગણાવતા, સ્વાતિ માલીવાલના કથિત હુમલાના કેસને લગતા પ્રશ્નને ટાળવા માટે તેમની ટીકા કરી હતી. દિલ્હી પોલીસે 16 મેની સાંજે કથિત હુમલાના સંબંધમાં દિલ્હીના મુખ્ય પ્રધાનના પીએ બિભવ કુમાર સામે એફઆઈઆર દાખલ કરીહતી. આ એફઆઇઆરમાં સિવિલ લાઇન્સ પોલીસે અન્ય IPC કલમો સહિત કલમ 354, 506, 509 અને 323 હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં મહિલા પર તેની નમ્રતા, ગુનાહિત ધાકધમકી, શબ્દના હાવભાવ અથવા ઇરાદા સાથેના કૃત્યો પર હુમલો અથવા ફોજદારી બળ સહિતના ગુનાનો સમાવેશ થાય છે. અપમાન, અને હુમલો જેવા અનેક આરોપો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

17 May, 2024 07:41 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK