Lok Sabha Election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પશ્ચિમ બંગાળના માલદામાં તેમના પ્રચાર દરમિયાન જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીને સંબોધતા કહ્યું કે, "એક સમય એવો હતો જ્યારે બંગાળ સામાજિક સુધારા, વૈજ્ઞાનિક પ્રગતિ, દાર્શનિક પ્રગતિ, આધ્યાત્મિક પ્રગતિ અને દેશ માટે જીવન બલિદાનની દ્રષ્ટિએ ભારતમાં વિકાસનું વાહક હતું, પછી તે સામાજિક સુધારણા હોય, વૈજ્ઞાનિક પ્રગતિ હોય, દાર્શનિક ઉન્નતિ હોય, આધ્યાત્મિક પ્રગતિ હોય અને દેશ માટે જીવનનું બલિદાન હોય. કોઈ ક્ષેત્ર એવું નહોતું જેનું નેતૃત્વ બંગાળ ન કરતું હોય. પરંતુ પહેલા ડાબેરીઓ અને પછી ટીએમસી શાસને આ રાજ્યની મહાનતા અને સન્માન તોડી-ફોડી દીધો અને વિકાસ પણ અટકાવ્યો. TMCના શાસન હેઠળ, બંગાળમાં માત્ર એક જ વસ્તુ ચાલે છે, જે છે હજારો કરોડોના કૌભાંડો”- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું.