લોકસભા ચૂંટણી 2024 વચ્ચે, કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા સંજય નિરુપમ તેમની પત્ની અને પુત્રી સાથે 03 મેના રોજ શિવસેનામાં જોડાયા હતા. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ થાણેમાં પાર્ટી કાર્યાલયમાં નેતાનું સ્વાગત કર્યું હતું. અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનો બદલ સંજય નિરુપમને 03 એપ્રિલે કૉંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાકલપટ્ટી પછી, નિરુપમે દાવો કર્યો હતો કે પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યા બાદ તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ સાંસદે કૉંગ્રેસમાં જોડાવા માટે લગભગ બે દાયકા પહેલા અવિભાજિત શિવસેના છોડી દીધી હતી.