કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા અબજોપતિ ગૌતમ અદાણીનો ઉલ્લેખ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, `આપણે આરએસએસ, ભાજપ અને પીએમ મોદી દ્વારા બનાવવામાં આવેલી રણનીતિના પાયાને સમજવાની જરૂર છે. જે રીતે પોર્ટ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સમાં અદાણીનો ઈજારો છે, એ જ રીતે પીએમ મોદીએ ઈડી, સીબીઆઈ અને ઈન્કમટેક્સનો ઉપયોગ કરીને રાજકીય નાણામાં ઈજારો બનાવ્યો છે.`