Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધોનીનું નંબર ૯ પર બૅટિ‍ંગ કરવાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું

ધોનીનું નંબર ૯ પર બૅટિ‍ંગ કરવાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું

Published : 08 May, 2024 06:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મીડિયા-રિપોર્ટ્‍સ અનુસાર, તેના પગના સ્નાયુઓ ફાટી ગયા છે એને કારણે તેને હલનચલન કરવામાં મુશ્કેલી પડી રહી છે

એમએસ ધોનીની તસવીર

IPL 2024

એમએસ ધોનીની તસવીર


ધરમશાલામાં મહેન્દ્ર સિંહ ધોની જ્યારે પંજાબ કિંગ્સ સામે નવમા નંબરે બૅટિંગ કરવા આવ્યો ત્યારે ચારે બાજુ હોબાળો મચી ગયો હતો. ઇરફાન પઠાણે તેની ઘણી ટીકા કરી અને કહ્યું હતું કે તે તેની ટીમને નુકસાન પહોંચાડી રહ્યો છે અને હરભજન સિંહે તો તેને ટીમમાંથી બહાર બેસવાની સલાહ આપી હતી.  મીડિયા-રિપોર્ટ્‍સ અનુસાર, તેના પગના સ્નાયુઓ ફાટી ગયા છે એને કારણે તેને હલનચલન કરવામાં મુશ્કેલી પડી રહી છે એથી જ તે પ્રૅક્ટિસ દરમ્યાન પણ દોડતો નથી અને શક્ય એટલી બાઉન્ડરી મારવાની કોશિશ કરે છે. ટીમનાં સૂત્રોએ જણાવ્યું કે ટુર્નામેન્ટ શરૂ થતાં જ ધોનીએ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો છતાં તેણે ટીમ માટે રમવાનું ચાલુ રાખ્યું છે. હવે કારણ જાણીને લાગે છે કે ધોનીની ટીકા કરનારા બન્ને દિગ્ગજ તેની સાથે લાંબા સમય સુધી રમ્યા હોવા છતાં તેને સારી રીતે ઓળખી શક્યા નથી.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK